Home> India
Advertisement
Prev
Next

બંગાળમાં ઈમામોએ મતદારોને લખ્યા 10 હજાર પત્ર, કહ્યું-'સાવધાનીથી આપો મત, નહીં તો....'

પશ્ચિમ બંગાળમાં પ્રમુખ મુસ્લિમ નેતાઓ અને મુખ્ય ઈમામોએ મુસ્લિમ સમુદાયોના લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પત્ર લખ્યો છે. આ ઈમામોએ લગભગ 10000 પત્ર લખ્યા છે. જેમાં લખ્યું છે કે તેઓ માત્ર પોતે જ નહીં પરંતુ તેમના પરિવારજનો અને સંબંધીઓને પણ મત આપવા માટે પ્રેરિત કરે. 

બંગાળમાં ઈમામોએ મતદારોને લખ્યા 10 હજાર પત્ર, કહ્યું-'સાવધાનીથી આપો મત, નહીં તો....'

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં પ્રમુખ મુસ્લિમ નેતાઓ અને મુખ્ય ઈમામોએ મુસ્લિમ સમુદાયોના લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પત્ર લખ્યો છે. આ ઈમામોએ લગભગ 10000 પત્ર લખ્યા છે. જેમાં લખ્યું છે કે તેઓ માત્ર પોતે જ નહીં પરંતુ તેમના પરિવારજનો અને સંબંધીઓને પણ મત આપવા માટે પ્રેરિત કરે. 

પશ્ચિમ બંગાળમાં ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલ દ્વારા કારી ફઝલુર રહેમાનની સાઈનવાળા 10000 પત્રો મોકલાયા છે. આ  પત્રો ઉર્દુ અને બંગાળી ભાષામાં લખાયેલા છે. આ પત્રમાં સેક્યુલર તાકાતોના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરાઈ છે. 

પત્રોમાં કહેવાયું છે કે લોકતંત્રમાં ચૂંટણીનો કોઈ વિકલ્પ નથી. તેમાં આપણને આપણી સરકાર પસંદ કરવાની તક મળે છે. એક પણ ભૂલ થઈ તો તમારે 5 વર્ષ સુધી રાહ જોવી પડે છે. આથી તમે તમારો મત સમજી વિચારીને આપો. ફઝલુર રહેમાને કહ્યું કે અમે અમારા મુસ્લિમ ભાઈઓને અપીલ કરી રહ્યાં છીએ કે તેઓ સાવધાનીથી અને સમજી વિચારીને મત આપે. જેથી કરીને સાંપ્રદાયિક તાકાતો પોતાનું માથું ઊંચુ ન કરી શકે. 

જુઓ LIVE TV

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પશ્ચિમ બંગાળમાં કઈ પાર્ટી સેક્યુલર છે, જેને લોકોએ પસંદ કરવી જોઈએ તો તેમણે કહ્યું કે જે પણ રાજ્યમાં તાકાતવર હોય અને જેના જીતવાના ચાન્સ વધુ હોય. તૃણમૂલ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે બંગાળમાં સૌથી વધુ ચાન્સ એ વાતનો છે કે અહીં રાજ કરનારી પાર્ટીને મુસ્લિમ મતો સૌથી વધુ મળશે. મુસ્લિમ મતો વહેંચાવવા જોઈએ નહીં, જો આમ થયું તો ફાસિસ્ટ તાકાતો મજબુત થશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More