ગુજરાત : પજાસત્તાક દિવસની પરેડને હવે ગણીને ત્રણ દિવસ જ બાકી રહી ગયા છે. દિલ્હીમાં બહુ જ શાનદાર રીતે ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગણતંત્ર દિવસ પરેડમાં રાજપથ પર દેશના અલગ અલગ રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવે છે. આ વર્ષે ભારત તેનો 70મો ગણતંત્ર દિવસ ઉજવશે. ત્યારે તમને પણ આ પરેડમાં જવાની બહુ જ ઈચ્છા થતી હશે ને. જો તમને એવું લાગતું હશે કે, ગણતંત્ર દિવસમાં આપણે ન જઈ શકીએ અને ત્યાં તો સરકાર દ્વારા આમંત્રિત મહેમાનો જ હાજરી આપે છે, તો તમારી ધારણા ખોટી છે. તમે પણ ગણતંત્ર દિવસમાં જઈ શકો છો. આ માટે સરકારે ટિકીટ વ્યવસ્થા રાખી છે. અને જો તમે સમજતા હશો કે, હવે મોડું થઈ ગયું છે તો એવું ના વિચારો. ટિકીટ ખરીદવાની તક હજી પણ તમારી સામે છે. તો જો તમે ગણતંત્ર દિવસ 2019ની પરેડમાં જવા માંગો છો તો જાણી લો પૂરી ડિટેઈલ્સ.
ક્યાં મળશે ટિકીટ
ભારતના ગણતંત્ર દિવસની પરેડ માટે 7 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ટિકીટનું વેચાણ કરવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા કેટલાક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ જ સ્થળોએ ગણતંત્ર દિવસના પરેડની ટિકીટ મળતી હોય છે.
કયા કયા સ્થળ
ટિકીટ ખરીદવાનો સમય
ટિકીટ સવારે 10 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી 4.30 સુધી ઉપલબ્ધ હોય છે.
ટિકીટ માટેની કેટલીક સૂચના
ટિકીટના ભાવ
આરક્ષિત સીટો માટે 500 રૂપિયા. અનારક્ષિત સીટ માટે 100 રૂપિયા અને 200 રૂપિયા. આરક્ષિત સીટ મુખ્ય ચરણના નજીક આવેલ છે, જ્યાં તમામ કાર્યવાહી થાય છે. વહેલો તે પહેલાના આધાર પર અનારક્ષિત બેઠકોની વ્યવસ્થા હોય છે. જો તમારી પાસે અનારક્ષિત ટિકીટ છે, તો નક્કી કરો કરવું પડશે કે તમે સૌથી સારા સ્થાનને પ્રાપ્ત કરવા માટે જલ્દીથી કાર્યક્રમ સ્થળ પર પહોંચવું પડશે.
બીટિંગ રિટ્રીટનું આયોજન ગણતંત્ર દિવસ સમારોહના ત્રીજા દિવસે 29 જાન્યુઆરીના રોજ સાંજે કરવામાં આવે છે. આ સમારોહ 26મી જાન્યુઆરીના રોજ શરૂ થયેલ સમારોહના સમાપ્ત થવાના સૂચક છે. બીટિંગ રિટ્રીટ સમારોહની ફૂલ ડ્રેસ રિહર્સલ 28 જાન્યુઆરીના રોજ થાય છે. તેની તમામ સીટ અનારક્ષિત છે. જેનો ભાવ 50 રૂપિયા અને 20 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે