Home> India
Advertisement
Prev
Next

Holi 2023: પત્ની અપાવે છે કુંવારા દેવતા! હોળીમાં થાય છે મહાપૂજા , લગ્ન ન થતાં હોય તો કરી લેજો

Eloji God: કુંવારા યુવાનો એલોજી દેવતાની (Eloji Devta) પૂજા કરે છે. એવી માન્યતા છે કે જે છોકરો એલોજી દેવતાની 5 વાર પ્રદક્ષિણા કરે છે, તેના લગ્ન આવતા 1 વર્ષમાં થઈ જાય છે.

Holi 2023: પત્ની અપાવે છે કુંવારા દેવતા! હોળીમાં થાય છે મહાપૂજા , લગ્ન ન થતાં હોય તો કરી લેજો

Marriage Remedies: રાજસ્થાન (Rajasthan) તેના સાંસ્કૃતિક વારસા અને અનન્ય રીતરિવાજો માટે જાણીતું છે. અહીં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમારે આવી અનોખી પરંપરા વિશે જાણવું જોઈએ, જેમાં હોળી (Holi)ના એક દિવસ પહેલા અવિવાહિત યુવકો એલોજી દેવતાની (Eloji Devta)પૂજા કરે છે અને લગ્નનું વરદાન માંગે છે. એવું કહેવાય છે કે, જે પણ યુવક કુંવારા દેવતા ઇલોજીની પૂજા કરે છે તેના એક વર્ષમાં લગ્ન થઈ જાય છે. રાજસ્થાનના બાડમેર અને જેસલમેરમાં ઈલોજી દેવતાની ઘણી ઓળખ છે. અહીં અવિવાહિત યુવકો મોટી સંખ્યામાં એલોજી દેવતાની પૂજા કરે છે. એલોજી દેવતાનો સંબંધ હિરણકશ્યપના પુત્ર અને ભગવાન વિષ્ણુના પ્રખર ભક્ત પ્રહલાદના ઘરથી હોવાનું કહેવાય છે. આવો જાણીએ આ અનોખી પરંપરા અને તેની પૌરાણિક કથાઓ વિશે.

આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો:
 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
​આ પણ વાંચો: Holika Dahan 2023: હોલિકા દહન પછી ઘરે આવીને પહેલું કરજો આ કામ નહીં તો થશે ધનહાનિ

કુંવારા છોકરાઓ કરે છે પૂજા
તમને જણાવી દઈએ કે જેસલમેરના પોખરણમાં લાલ કિલ્લા પર ભગવાન ઈલોજીની પૂજા હોળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે. અવિવાહિત છોકરાઓ પૂજામાં એલોજી દેવતા પાસે લગ્નની પ્રતિજ્ઞા માંગે છે. અવિવાહિત યુવકો એલોજી દેવતીની મૂર્તિની પરિક્રમા કરે છે. પૂજામાં ગુલાલ અને પ્રસાદ ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે છોકરો એલોજી દેવતાની 5 વાર પ્રદક્ષિણા કરે છે તેના લગ્ન જલ્દી થઈ જાય છે. પોખરણમાં સદીઓથી આ પરંપરા ચાલી આવે છે.

​આ પણ વાંચો: જાણો તરબૂચ ખાવાના ફાયદા: સ્ત્રીઓ માટે વરદાન તો પુરૂષો માટે પરમેશ્વર સમાન છે તરબૂચ
​આ પણ વાંચો: આ કારણોસર વાહનનો વીમો નહીં થાય પાસ, વાહનમાલિકોએ પાળવા પડશે આ ખાસ નિયમો
​આ પણ વાંચો: Smartphone માં આ 5 ફીચર્સ ના હોય તો ભૂલથી પણ ના ખરીદતા! તમારા પૈસા ડૂબી જશે

એલોજી દેવતાની વાર્તા
દંતકથા અનુસાર, ઇલોજી ભગવાન ભક્ત પ્રહલાદની કાકી હોલિકાના મંગેતર હતા. એકવાર જ્યારે હોલિકા તેના ભાઈ હિરણ્યકશ્યપ પાસે આવી અને તેના દુ:ખ વિશે પૂછ્યું ત્યારે તેણે પ્રહલાદની હરિ પ્રત્યેની ભક્તિ વિશે જણાવ્યું. આ પછી હોલિકાએ પ્રહલાદને મારવાનું નક્કી કર્યું. હોલિકાને વરદાન હતું કે તે અગ્નિમાં બળશે નહીં, તેથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ. પણ હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો.

​આ પણ વાંચો: Holi 2023: ભૂલી જાઓ જૂના કપડાં, હવે આ કપડા પહેરીને હોળીમાં દેખાશો સ્ટાઈલીશ, વટ પડશે
આ પણ વાંચો: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે
આ પણ વાંચો:
  હવામાં ઉડીને આવ્યું છે આ જૈન મંદિર, ખોદકામ વખતે મળ્યો નહી પાયો, વૈજ્ઞાનિકો ચોંકી ગયા

ઇલોજી ભગવાનની પૂજા શા માટે થાય છે?
જ્યારે હોલિકાના મંગેતર એલોજી દેવતાએ તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું. આ પછી તેણે આખી જિંદગી કુંવારા રહેવાનું નક્કી કર્યું. ત્યારથી સમયસર લગ્ન ન થતા હોય એ એલોજી દેવતાની પૂજા કરે છે અને લગ્ન માટે આશીર્વાદ માંગે છે.

આ પણ વાંચો: રિસ્ક ના લેતા! સ્વચ્છતા બનશે સ્માર્ટફોનનો 'કાળ', બેઠા બેઠા લાગશે હજારો રૂપિયાની ચપત
આ પણ વાંચો: Isha Ambani House: 450 કરોડ રૂપિયા છે ઈશા અંબાણીના આલીશાન ઘરની કિંમત, 3D ડાયમંડ થીમમાં કરાયું છે ડિઝાઇન ; જુઓ અંદરના ફોટા
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More