Home> India
Advertisement
Prev
Next

Video: મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન 

મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ટિકિટ મળતા એકબાજુ ચારેબાજુ વિરોધના સ્વર ઉઠી રહ્યાં છે ત્યાં ખુબ પ્રજ્ઞા ઠાકુરે પણ મુંબઈ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે પર વિવાદિત નિવેદન આપતા તેમની ટીકા થઈ રહી છે.

Video: મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન 

ભોપાલ: મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ટિકિટ મળતા એકબાજુ ચારેબાજુ વિરોધના સ્વર ઉઠી રહ્યાં છે ત્યાં ખુબ પ્રજ્ઞા ઠાકુરે પણ મુંબઈ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે પર વિવાદિત નિવેદન આપતા તેમની ટીકા થઈ રહી છે. સાધ્વીએ 26/11 આતંકી હુમલામાં શહીદ થયેલા ATS ચીફ હેમંત કરકરે અંગે કહ્યું છે કે, 'તેમને તેમના કર્મોની સજા મળી છે. તેમણે મને ખોટી રીતે ફસાવી હતી. હેમંત કરકરે મને ગમે તે ભોગે આતંકવાદી જાહેર કરવા માંગતા હતાં.'

ચૂંટણી ટાણે જ કોંગ્રેસ માટે માઠા સમાચાર, ફાયરબ્રાન્ડ મહિલા નેતાએ પાર્ટી છોડ્યાની અટકળો તેજ

તેમણે વધુમાં કહ્યું કે, 'મેં તેમને કહ્યું હતું કે તેમનો સર્વનાશ થશે. બરાબર સવા મહિને સૂતક લાગે છે. જે દિવસે હું ગઈ હતી, તે દિવસે તેમનું સૂતક લાગી ગયું હતું. બરાબર સવા મહિનામાં જ જે દિવસે આતંકીઓએ તેમને માર્યા, તે દિવસે તેમનો અંત થયો.'

અત્રે જણાવવાનું કે રાજનીતિક કાર્યકર્તા તહસીન પૂરવાલાએ ગુરુવારે ચૂંટણી પંચને ભલામણ કરી હતી કે મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી લડતા રોકવામાં આવે. કારણ કે તેમના પર આતંકવાદ સંબંધી આરોપ છે. આયોગને લખાયેલા પત્રમાં કહેવાયું છે કે મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી સ્ક્વોડ (એટીએસ) મુજબ વર્ષ 2008માં થયેલા માલેગાવ બોમ્બ વિસ્ફોટમાં ઠાકુર 'મુખ્ય ષડયંત્રકાર' છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતાં. 

દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More