ઉત્તર પ્રદેશના હાથરસના સિકંદરારાઉ વિસ્તારમાં મંગળવારે ભાગદોડની હિચકારી ઘટનાએ 100થી વધુ લોકોનો ભોગ લીધો. ફુલરઈ ગામમાં યોજાયેલા ભોલેબાબાના સત્સંગ કાર્યક્રમમાં આવેલી લાખોની ભીડ દરમિયાન ત્યાં અચાનક ભાગદોડ મચી જતા મહિલાઓ અને બાળકો સહિત 121 લોકોના જીવ ગયા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ ગોઝારી ઘટના અંગે એક એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે જાણીને સ્તબ્ધ થઈ જશો.
ચોંકાવનારો ખુલાસો
મૃતકોમાં મહિલાઓ વધુ
પીટીઆઈના જણાવ્યાં મુજબ આ અકસ્માત અંગે યુપીના મુખ્ય સચિવ મનોજકુમાર સિંહે જાણકારી આપતા કહ્યું કે આ દુર્ઘટનામાં મૃતકોમાં 7 બાળકો અને 1 પુરુષને બાદ કરતા તમામ મહિલાઓ છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મહિલાઓ રોતી કકળતી જોવા મળે છે. આંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી મહિલાઓ આ સત્સંગમાં ભાગ લેવા માટે પહોંચી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે