નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી હરસિમરત કોર બાદલે બુધવારે કહ્યું કે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધનથી દેશની એક મહાન નેતા અને મેં મારી મોટી બહેન ગુમાવી દીધી છે. હરસિમરતે ટ્વિટ કર્યું, ‘આજે ભારતે એક મહાન નેતા, વિશ્વએ એક આદર્શ માનવી અને મેં મારી મોટી બહેન ગુમાવી દીધી.’
આ પણ વાંચો:- સુષમા સ્વરાજના નિધન પર પાકિસ્તાનથી આવેલી ગીતા બોલી, ‘હું અનાથ થઇ ગઇ છું’
સુષમાની સાથે તેમની અને પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેમજ તેમના પતિ સુખબીર બાદલની એક તસવીર પોસ્ટ કરી તેમણે કહ્યું, ‘પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધનથી ખાલી પડેલી જગ્યા ક્યારેય ભરાઇ શકશે નહીં. ‘વાહેગુરૂ’ તેમને શાંતિ આપે અને તેમની શરણમાં આશ્રય આપે.’
Today, India lost a great leader, the world lost an exemplary human being and I lost an elder sister. The void left by the passing of former external affairs minister Sushma Swaraj ji can never be filled. May Waheguru grant peace and shelter to the dearly departed. pic.twitter.com/BAcGCQT9zw
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) August 6, 2019
આ પણ વાંચો:- Video: પાકિસ્તાન ટીવીના સ્ટૂડિયોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન સુષમાજીની ‘અટલવાણી’
ટ્વિટર પર પોસ્ટ કરે તસવીરમાં સુખબીર લાલ રંગની પરંપરાગત ભરતકામવાળો હાથનો પંખો પકડેલા જોવા મળી રહ્યા છે. જ્યારે સુષમા સ્વરાજ અને હરસિમરત હસતાં જોવા મળ્યાં છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે