Home> India
Advertisement
Prev
Next

લેહને ચીનમાં બતાવતું હતું ટ્વિટર, ભારત સરકારે સીઈઓ Jack dorseyને આપી કડક ચેતવણી

ભારત સરકારે ટ્વિટર (Twitter) ના સીઈઓ જેક ડોર્સીને ખુબ ફટકાર લગાવી છે. કંપનીના પ્લેટફોર્મ પર ભારત અંગે ખોટી જાણકારી અપાઈ હતી. ડોર્સીને લખાયેલા પત્રમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સચિવ અજય સાહનીએ ઝાટકણી કાઢતા કહ્યું કે આવી કોઈ કોશિશ સહન કરાશે નહીં.

લેહને ચીનમાં બતાવતું હતું ટ્વિટર, ભારત સરકારે સીઈઓ Jack dorseyને આપી કડક ચેતવણી

નવી દિલ્હી: ભારત સરકારે ટ્વિટર (Twitter) ના સીઈઓ જેક ડોર્સીને ખુબ ફટકાર લગાવી છે. કંપનીના પ્લેટફોર્મ પર ભારત અંગે ખોટી જાણકારી અપાઈ હતી. ડોર્સીને લખાયેલા પત્રમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સચિવ અજય સાહનીએ ઝાટકણી કાઢતા કહ્યું કે આવી કોઈ કોશિશ સહન કરાશે નહીં. સાહનીએ લખ્યું કે ટ્વિટર દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું અપમાન કરનારી કોઈ હરકત ન કરે. જાણીતી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર લેહને ચીનનો હિસ્સો ગણાવવામાં આવી રહ્યો હતો. ભારતીય યૂઝર્સના આકરા વિરોધ બાદ ટ્વિટરે જિયોટેગમાં આ ભૂલ દૂર કરી દીધી હતી. 

બિહાર ચૂંટણી: 19 લાખ યુવાઓને રોજગાર, વિનામૂલ્યે કોરોનાની રસી, જાણો ભાજપના 'સંકલ્પ'

આઈટી સચિવ અજય સાહનીએ ટ્વિટરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખનો હિસ્સો છે અને લદાખ જમ્મુ અને કાશ્મીર ભારતના અભિન્ન ભાગ છે. જે ભારતના બંધારણ દ્વારા શાસિત છે. તેમણે કહ્યું કે ટ્વિટરે ભારતના લોકોની ભાવનાનું સન્માન કરવું જોઈએ. ટ્વિટર દ્વારા ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા- જે નક્શા દ્વારા પણ પરિલક્ષિત થાય છે, તેની સાથે કરાયેલું અપમાન સહન કરાશે નહીં અને તે કાયદાનો ભંગ ગણાશે. ટ્વિટરને આકરી ચેતવણી આપતા આઈટી સચિવે લખ્યું કે આવા કાર્યોથી ટ્વિટરની પ્રતિષ્ઠા ખરડાય છે અને તટસ્થતા તથા નિષ્પક્ષતા ઉપર સવાલ ઊભા થાય છે. 

પોખરણમાં ખતરનાક 'નાગ' એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ, જાણો ખાસિયતો

અત્રે જણાવવાનું કે ગત રવિવારે ટ્વિટરની આ હરકતની જાણ થઈ હતી. વાત જાણે એમ છે કે નેશનલ સિક્યુરિટી એનાલિસ્ટ નીતિન ગોખલેએ રવિવારે લેહના જાણીતા વોર મેમોરિયલથી ટ્વિટર લાઈવ કર્યું તો ચોંકી ગયા. તેમને લોકેશન જમ્મુ અને કાશ્મીર, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના બતાવતું હતું. ત્યારબાદ અનેક યૂઝર્સે પણ લેહથી લાઈવ કરવાની કોશિશ કરી પણ ટ્વિટર તેને ચીનનો ભાગ જ ગણાવતું રહ્યું. લોકો ટ્વિટરની આ હરકત વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરતા હતા. 

ટ્વિટરે ટેક્નિકલ ખામી ગણાવીને દૂર કરી સમસ્યા
જ્યારે વિવાદ વધ્યો તો ટ્વિટરે એક નિવેદનમાં કહ્યું કે આ મામલો તેમની જાણકારીમાં છે અને પરેશાની દૂર કરી દેવાઈ છે. કંપનીના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે અમને આ ટેક્નિકલ ખામી અંગે રવિવારે જાણ થઈ અને અમે તેની સંવેદનશીલતા સમજીએ છીએ તથા તેનું સન્માન કરીએ છીએ. ટીમોએ ઝડપથી તપાસમાં જિયોટેગના મુદ્દાને ઉકેલી લીધો છે. ટ્વિટર ઉપરાંત ચીનની મોબાઈલ કંપની શાઓમીએ પણ આ હરકત કરી હતી. તેના સ્માર્ટફોન્સમાં અરુણાચલ પ્રદેશના વિસ્તારો અંગે જાણકારી આવતી નહતી. ત્યારબાદ શાઓમીએ પણ તેને ટેક્નિકલ ખામી ગણાવી હતી. કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે સમસ્યા ઉકેલી નાખવામાં આવી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More