કલકતા: પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનું નિધન થઇ ગયું છે. લાંબા સમયથી બિમારીથી પીડાતા સોમનાથ ચેટર્જી 89 વર્ષના હતા. સોમવારે તેમણે સવારે 8:15 વાગે અંતિમ શ્વાસ લીધા. તે થોડા દિવસોથી કલકત્તાના એક હોસ્પિટલમાં વેંટિલેટર સપોર્ટ પર હતા. સોમનાથ ચેટર્જી 2004 થી 2009 સુધી લોકસભાના અધ્યક્ષ રહ્યા છે. સોમનાથ ચેટર્જીને કિડની સંબંધી પરેશાની થયા બાદ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
આ પહેલાં તબિયત બગડતાં 28 જૂનના રોજ કલકત્તાની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત 10 ઓગસ્ટના રોજ ફરીથી બગડતાં તેમને ફરીથી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. વર્ષ 2008માં માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટી (માકપા)એ સોમનાથ ચેટર્જીને પાર્ટીમાંથી કાઢી દીધા હતા.
સોમનાથે ચેટર્જી સાથે સંકળાયેલી વાતો:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે