વેલ્લોરઃ તમિલનાડુના વેલ્લોરના તિરૂપત્તુરમાં રહેતી સ્નેહા ભારતની એવી પ્રથમ મહિલા બની ગઈ છે જેની કોઈ જાતિ કે ધર્મ નથી. ઓળખ તરીકે માત્ર નામ જ પુરતું જ છે. સ્નેહાએ 'No Caste, No Religion' પ્રમાણપત્ર બનાવીને પોતાને જાતિ, ધર્મના બંધનમાંથી મુક્ત કરાવી લીધી છે અને હવે પોતાના નામની જ ઓળખ બનાવી લીધી છે. સ્નેહાએ તાજેતરમાં જ 5 ફેબ્રુઆરીના રોજ આ પ્રમાણપત્ર મેળવ્યું છે.
સ્નેહા બાળપણથી જ કોઈ પણ ફોર્મમાં જાતિ કે ધર્મનું કોલમ ભરતી ન હતી. સ્નેહા ઉપરાંત તેના માતા-પિતા પણ હંમેશા આ કોલમ ખાલી જ છોડતા રહ્યા છે. તેમણે ક્યારેય સ્નેહા ઉપર પણ આ કોલમ ભરવાનું દબાણ બનાવ્યું નથી. સ્નેહાએ ક્યારેય પોતાના નામની આગળ અટક પણ લખાવી નથી.
தமிழ்மகள் சிநேகாவிற்கு என் மனமார்ந்த வாழ்த்துக்கள். மதம் மாறுவதை விட மனம் மாறுவதே சிறப்பு. வா மகளே வா, புது யுகம் படைப்போம். சாதியற்ற உலகம் சாத்தியமில்லை என இனியும் அடம் பிடிப்போர்க்கும் இடம் ஒதுக்கீடு செய்வோம். மக்கள் நீதியே மய்யம் கொள்ளும். நாளை நமதே, நிச்சயம் நமதே! pic.twitter.com/w1a22F2GRh
— Kamal Haasan (@ikamalhaasan) February 13, 2019
સ્નેહાનું માનવું છે કે, જાતિ-ધર્મના બંધનથી પોતાને અલગ કરવું એ સમાજમાં પરિવર્તનની દિશામાં એક મહત્વનું પગલું છે. આ જ કારણ છે કે, તેનાં જન્મથી માંડીને અત્યાર સુધીના તમામ પ્રમાણપત્રોમાં ધર્મ અને જાતિની કોલમ ખાલી જ રહી છે.
વિજ્ઞાનઃ ડોક્ટરોએ ગર્ભમાં ઉછરી રહેલા બાળકને બહાર કાઢી ઓપરેશન કર્યું અને ફરી પાછું મુકી દીધું
સ્નેહાએ જણાવ્યું કે, "તેણે વર્ષ 2010માં 'No Caste, No Religion' માટે ફોર્મ ભર્યું હતું. ત્યાર બાદ તેને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આખરે તેને 5 ફેબ્રુઆરી, 2019ના રોજ આ પ્રમાણપત્ર મળ્યું છે. આ સાથે જ તે ભારતની પ્રથમ એવી મહિલા બની ગઈ છે જેની કોઈ જાતિ કે ધર્મ નથી, માત્ર તે ભારતની નાગિરક છે."
મહિલાઓમાં કેમ મરી પરવારે છે સેક્સની ઇચ્છા? જાણવા કરો ક્લિક...
સોશિલય મીડિયા પર સ્નેહાના આ પગલાની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. જેણે પણ સ્નેહાના આ નિર્ણય અંગે જાણ્યું છે તે તેને અભિનંદન પાઠવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે