Home> India
Advertisement
Prev
Next

શપથ લીધા પછી ફડણવીસે જણાવ્યું, શું કામ બની રાતોરાત બની સરકાર

મહારાષ્ટ્ર (Maharastra) વિધાનસભાની 288 સીટ માટે 21 ઓક્ટોબરે ચૂંટણી થઈ હતી અને એનું પરિણામ 24 ઓક્ટોબરે મળ્યું હતું.

શપથ લીધા પછી ફડણવીસે જણાવ્યું, શું કામ બની રાતોરાત બની સરકાર

મુંબઈ : મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે.

ભાજપના દેવેન્દ્ર ફડણવીસે લીધી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ, રાતોરાત પલટાઈ બાજી 

શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપતા જણાવ્યું છે કે મહારાષ્ટ્રની સરકારે સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. અમારી સાથીદાર શિવસેનાએ એ જનાદેશ નકારીને અન્ય રીતે ગઠબંધનનો પ્રયાસ કર્યો. મહારાષ્ટ્રને સ્થિર શાસન આપવાની જરૂર છે. મહારાષ્ટ્રને સ્થાયી સરકાર દેવાનો નિર્ણય કરવા બદલ અજિત પવારને ધન્યવાદ.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ માટે 21 ઓક્ટોબરે ચૂંટણી થઈ હતી અને એનું પરિણામ 24 ઓક્ટોબરે મળ્યું હતું. રાજ્યમાં કોઈપણ પક્ષ કે ગઠબંધન દ્વારા સરકાર રચવાનો પ્રસ્તાવ ન મુકવાને કારણે 12 નવેમ્બરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પદની માગણીને પગલે શિવસેનાએ ભાજપ સાથે 30 વર્ષ જુનું ગઠબંધન તોડી નાખતા રાજ્યમાં રાજકીય સંકટ ઉભું થઈ ગયું હતું.

શપથ લીધા પછી સીએમ ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવારે પહેલું નિવેદન આપ્યું, કહ્યું કે...
LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More