Threat to Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક વ્યક્તિએ મારી નાખવાની ધમકી આપી. દિલ્હી પોલીસે જણાવ્યું કે આરોપી મુંડકાનો રહીશ છે. પોલીસના જણાવ્યાં મુજબ આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. આરોપીએ મોડી રાતે કોલ કરીને કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની સારવાર ચાલુ છે.
પોલીસના જણાવ્યાં મુજબ આરોપીએ સોમવારે રાતે 12.05 વાગે પીસીઆર કોલ કરીને અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી. કોલ બાદ દિલ્હી પોલીસ હરકતમાં આવી અને તેમણે તે વ્યક્તિની ઓળખ કરી. ગણતરીના સમયમાં તેને દબોચી લેવાયો હતો. આરોપીની હાલ દિલ્હીના ગુલાબી બાગમાં સારવાર ચાલુ છે. જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી નહીં.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત, કારના ફૂરચા ઉડી ગયા, 4ના ઘટનાસ્થળે મોત
લીલા બટાકા સહિત આ 4 વસ્તું ભૂલેચૂકે ન ખાવી જોઈએ, કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો
બજેટના એક દિવસ પહેલા થયો મોટો ખુલાસો, ઘર ખરીદનારાઓને થશે મોટો ફાયદો!
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે