Home> India
Advertisement
Prev
Next

Aadhar Card Update: આધાર કાર્ડમાં કરેક્શન માટે આવી ગયા નવા ફોર્મ, થયો આ મોટો ફેરફાર

Aadhar Card Update: આધાર કાર્ડ અંગેની આ માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, હવે આધારમાં કરેક્શન વધુ સરળ બનશે, જૂના ફોર્મને બદલીને નવા ફોર્મમાં લાવવામાં આવ્યા છે.

Aadhar Card Update: આધાર કાર્ડમાં કરેક્શન માટે આવી ગયા નવા ફોર્મ, થયો આ મોટો ફેરફાર

Aadhar Correction Rules: દેશમાં વિવિધ હેતુઓ માટે ઘણા પ્રકારના દસ્તાવેજો બનાવવામાં આવે છે, તેમાંથી મોટાભાગના આઈડી પ્રૂફ તરીકે પણ ઉપયોગી છે. આધાર કાર્ડ પણ આવા મહત્વના દસ્તાવેજોમાંથી એક છે. આધાર કાર્ડનો ઉપયોગ કરોડો ભારતીયો કરે છે અને તમારે બેંક ખાતું ખોલાવવાથી લઈને સિમ કાર્ડ મેળવવા સુધીની દરેક વસ્તુ માટે તેની જરૂર છે. લોકોના આધાર કાર્ડમાં ઘણીવાર અનેક પ્રકારની ભૂલો હોય છે, જેને પછીથી સુધારવી પડે છે. હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધારને લઈને એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં આધાર અપડેટ કર્યા બાદ હવે તમારે નવું ફોર્મ ભરવાનું રહેશે.

Gold Price: જાન્યુઆરીમાં 1500 રૂપિયાથી વધુ સસ્તુ થયું સોનું, આ રહ્યા 5 મુખ્ય કારણો
વોશિંગ મશીનમાં નાખો રસોડામાં પડેલી આ 2 વસ્તુ, સુગંધિત અને દૂધ જેવા ચમકશે કપડાં

ઓનલાઈન કરેક્શન બનશે સરળ 
આધાર કાર્ડને લઈને સામે આવેલી આ જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે હવે આધારમાં કરેક્શન વધુ સરળ થઈ જશે. હવે તે વસ્તુઓને પણ ઓનલાઈન કરેક્શનમાં સામેલ કરવામાં આવી રહી છે, જે અગાઉ કેન્દ્રની મુલાકાત લઈને અપડેટ કરવાની હતી. હવે લગભગ તમામ સુધારાઓ ઓનલાઈન અપડેટ કરી શકાય છે. મતલબ કે હવે તમારે દરેક કામ માટે આધાર સેન્ટર દોડવાની જરૂર નહીં પડે.

10 પાસને પરીક્ષા આપ્યા વિના મળશે નોકરી, ઉતાવળ રાખજો! ફોર્મ ભરાવવાનું થઇ ગયું છે શરૂ
દરરોજ ફક્ત 170 રૂ.ની બચતથી બનાવી શકો છો 1 CR સુધીનું ફંડ, જાણો રોકાણનો હિટ ફોર્મૂલા

નવું આધાર કાર્ડ બનાવવા અને આધાર અપડેટ કરવા માટેના જૂના ફોર્મને બદલીને નવા ફોર્મ આપવામાં આવ્યા છે, આ નવા ફોર્મમાં તમને કેટલાક વધુ વિકલ્પો પણ આપવામાં આવશે. 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ ફોર્મ-1 ભરી શકે છે. તેમાં તમને અલગ-અલગ કેટેગરી જોવા મળશે, તમે તેમાં કોઈ સુધારો કે અપડેટ કરી શકો છો.

પ્રાણ પ્રતિષ્ઠા સમયે મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે પાટા, જાણો શું છે રહસ્ય
ડાબા હાથમાં ધનુષ, ભગવાન વિષ્ણુના 10 અવતાર, આવી છે રામલલાની 200 કિલોની મૂર્તિ

એનઆરઆઈ ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યું
વિદેશમાં રહેતા ભારતીયો એટલે કે NRI માટે પણ ફોર્મ-2 અને ફોર્મ-3 જાહેર કરવામાં આવ્યા છે. જે લોકો પાસે ભારતની બહાર સરનામાનું પ્રમાણપત્ર છે તે ફોર્મ-2 હેઠળ આવશે. ભારતીય એડ્રેસ ધરાવતા લોકો ફોર્મ-3નો ઉપયોગ કરી શકે છે. તેવી જ રીતે અલગ-અલગ કેટેગરી માટે અલગ-અલગ ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.

પારસનો પથ્થર સાબિત થયો આ શેર, 400 ટકા આપી ચૂક્યો છે રિટર્ન, 1 મહિનામાં 51% નો વધારો
પેટ્રોલ પંપ પર મફત મળશે આ સુવિધાઓ, ખૂબ ઓછા લોકોને હોય છે જાણકારી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More