Home> India
Advertisement
Prev
Next

દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર, અમિત શાહે રાજીનામું આપવું જોઈએ: સોનિયા ગાંધી 

દિલ્હી હિંસા પર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીમાં જે હિંસા ફેલાઈ તે સમજી વિચારીને ઘડેલા ષડયંત્રનું પરિણામ છે. ભાજપના નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યાં. ભાજપે નફરત અને ડરનો માહોલ બનાવ્યો. સરકારે ત્રણ દિવસ સુધી કશું કર્યું નહીં. હાલાત બગડ્યા તો સેનાને કેમ ન બોલાવી? દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે. આથી ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપી દે. 

દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર, અમિત શાહે રાજીનામું આપવું જોઈએ: સોનિયા ગાંધી 

નવી દિલ્હી: દિલ્હી હિંસા પર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીમાં જે હિંસા ફેલાઈ તે સમજી વિચારીને ઘડેલા ષડયંત્રનું પરિણામ છે. ભાજપના નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યાં. ભાજપે નફરત અને ડરનો માહોલ બનાવ્યો. સરકારે ત્રણ દિવસ સુધી કશું કર્યું નહીં. હાલાત બગડ્યા તો સેનાને કેમ ન બોલાવી? દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે. આથી ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપી દે. 

સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હી ચૂંટણી દરમિયાન પણ આ પ્રકારના કાવતરા જોવા મળ્યાં હતાં. તે સમયે પણ ભાજપના અનેક નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યા હતાં. દિલ્હી પોલીસ છેલ્લા 72 કલાકથી હાથ પર હાથ રાખીને બેઠી છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં અવિરત હિંસા ચાલુ છે. હેડ કોન્સ્ટેબલ સહિત 18 લોકોના મોત થયા છે. સેંકડો ઘાયલ છે. અનેક લોકોને ગોળી વાગી છે. 

જુઓ LIVE TV

સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હી સરકાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ માટે જવાબદાર છે. તેમણે શાંતિ અને ભાઈચારાને સ્થાપવા માટે સક્રિય ભૂમિકા ભજવી નથી. આ સ્થિતિ રાજ્ય અને કેન્દ્ર બંને સરકારોની સામૂહિક નિષ્ફળતા છે. પરિણામે દેશની રાજધાનીમાં આટલી મોટી ઘટના ઘટી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More