Home> India
Advertisement
Prev
Next

Chandrayaan-3 Update: બસ થોડા કલાક અને પછી ચંદ્રયાન-3 સ્પેસમાં કરશે મોટી ધમાલ, સામે આવ્યું આ અપડેટ

Chandrayaan-3 News: ચંદ્રયાન-3માં ફીટ કરવામાં આવેલા થ્રસ્ટરને પણ સમય અને અંતરને ધ્યાનમાં રાખીને છોડવામાં આવશે. ચંદ્રયાન-3 લાંબા ગોળાકાર ભ્રમણકક્ષામાં પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે. તેની ઝડપ એક કિમી પ્રતિ સેકન્ડથી 10.3 કિમી પ્રતિ સેકન્ડની વચ્ચે છે. હવે આગળ જવા માટે આ યાનને ફાસ્ટ વેલોસિટીની જરૂર પડશે.

Chandrayaan-3 Update: બસ થોડા કલાક અને પછી ચંદ્રયાન-3 સ્પેસમાં કરશે મોટી ધમાલ, સામે આવ્યું આ અપડેટ

Chandrayaan-3 Live Location: ચંદ્રયાન-3ના લોન્ચ બાદ તે ક્યાં પહોંચ્યું તે જાણવા માટે લોકો ઉત્સુક છે. લોકો ચંદ્રયાન-3 વિશે નાની નાની વિગતો પણ જાણવા માંગે છે. પરંતુ ચંદ્રયાન-3 માટે આજની રાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે અંતરિક્ષમાં એક લાંબી છલાંગ લગાવવા જઇ રહ્યું છે. ચંદ્રયાન-3 1 ઓગસ્ટના રોજ સવારે 12 થી 1 વાગ્યાની વચ્ચે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પગ મૂકશે. ચંદ્રયાન-3ને ચંદ્રની કક્ષા સુધી પહોંચવામાં માત્ર 6 દિવસ લાગશે. હાલમાં, ISRO આજે મધ્યરાત્રિએ ચંદ્રયાન-3ની પ્રક્રિયા પૂર્ણ કરશે, જેમાં 28 થી 31 મિનિટનો સમય લાગશે.

BCCI એ અચાનક કરી મોટી જાહેરાત, આ ખેલાડીને બનાવ્યો ટીમ ઇન્ડીયાનો કેપ્ટન
Surya Grahan 2023: આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ

આ સિવાય ચંદ્રયાન-3માં લગાવવામાં આવેલા થ્રસ્ટર્સ પણ સમય અને અંતરને ધ્યાનમાં રાખીને ફાયર કરવામાં આવશે. દીર્ઘ વૃતાકાર કક્ષમાં ચંદ્રયાન-3 પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે. તેની ઝડપ એક કિમી પ્રતિ સેકન્ડથી 10.3 કિમી પ્રતિ સેકન્ડની વચ્ચે છે. હવે આગળ જવા માટે આ યાનને ફાસ્ટ વેલોસિટીની જરૂર પડશે.

ગુજરાતના 10 લાખ મુસાફરોના ખિસ્સા થશે ખાલી, બસના ભાડામાં તોતિંગ વધારો
Team India: આવી ગયો આતુરતાનો અંત! વર્લ્ડકપ 2023 પહેલાં મળી ગઇ મોટી ખુશખબરી

આજે રાત્રે તે શું કરશે?
જ્યારે વાહનને નવા માર્ગ પર મોકલવાનું હોય ત્યારે તેને વધુ વેગની જરૂર હોય છે. ચંદ્ર પર જવા માટે ચંદ્રયાન-3નો એંગલ પણ બદલવો પડશે. ISRO આજે રાત્રે ચંદ્રયાનનો માર્ગ બદલવાની પ્રક્રિયા શરૂ કરશે. તે થ્રસ્ટર્સને ફાયર કરવાના 5 કે 6 કલાક પહેલા શરૂ થશે. ચંદ્રયાનની વેલોસિટી થ્રસ્ટર્સથી વધારવામાં આવશે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર લગભગ 3.8 લાખ કિમી છે. ચંદ્રયાન 51 કલાકમાં 1.2 લાખ કિમીનું અંતર કાપશે. જો કે, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સ્થિતિના આધારે કોઈ દિવસ બદલાઈ શકે છે.

Maruti Swift નું નવું મોડલ 1 લીટરમાં આપશે 40Kmpl ની માઇલેજ, લુક જોશો તો ફિદા થઇ જશો
Credit Card થી ભરવું છે બિલ? આ ફાયદા-નુકસાન વિશે પહેલાં જાણી લો

ચંદ્રયાન-2નું ક્રેશ થયું હતું લેન્ડિંગ 
ચંદ્રયાનનું ચંદ્રની ભ્રમણકક્ષામાં આગમન પણ ચંદ્ર મિશનનો એક ભાગ છે. 2019માં ચંદ્રયાન-2નું ક્રેશ લેન્ડિંગ થયું હતું. તેનો સંપર્ક તૂટી ગયો હતો. જો કે, જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે, તે પછી પણ તે અનેક દાવપેચ કરશે. 17 ઓગસ્ટે લેન્ડિંગ મોડ્યુલને લગભગ 100 કિમીની ઉંચાઈ પર લઈ જઈને અલગ કરવામાં આવશે. આ પછી ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્રની છાતી પર ઉતરશે. જણાવી દઈએ કે 14 જુલાઈના રોજ ભારતે ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું.

Shani: આ રાશિઓ પર ક્યારેય કષ્ટ આવવા દેતા નથી શનિ દેવ, રંકમાંથી બનાવી દે છે રાજા
Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More