Home> India
Advertisement
Prev
Next

ભઈ! જતા હોય તો હવે ના જતા! લગ્નમાં આમંત્રણ વિના જમતા પકડાયા તો થશે 2થી 7 વર્ષની સજા

Eating Food At Wedding Crime: ખરમાસના અંત સાથે લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. એવામાં આ સમાચાર એવા તમામ લોકો માટે છે જેઓ લગ્નોમાં આમંત્રણ મેળવ્યા વિના મફત ભોજન જમવા માટે જાય છે.

ભઈ! જતા હોય તો હવે ના જતા! લગ્નમાં આમંત્રણ વિના જમતા પકડાયા તો થશે 2થી 7 વર્ષની સજા

Eating Food At Wedding Crime: 15મી જાન્યુઆરીથી ખરમાસ સમાપ્ત થઈ ગયા છે. આ સાથે જ શુભ કાર્યોનો પ્રારંભ થઈ ગયો છે. એક મહિનાથી બાકી રહેલા લગ્ન માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગૃહ પ્રવેશથી લઈને તમામ પ્રકારના શુભ કાર્યો હવે કરવામાં આવી રહ્યા છે. લગ્નની વાત કરીએ અને ભોજનની વાત ના હોય એવું બને જ નહીં? જો કે લગ્નમાં ઘણા લોકોને આમંત્રિત કરવામાં આવે છે, પરંતુ કેટલાક એવા લોકો પણ લગ્નમાં આવે જાય છે, જેમને તેમની સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ હોતો નથી.

'મારી દીકરી પાછી નહીં આવે...આરોપીઓને જામીન ન મળવા જોઈએ', પીડિતો હાઈકોર્ટ પહોંચ્યા

લગ્નની પાર્ટીઓમાં આમંત્રણ વિના જમવા આવતા લોકોની સંખ્યા ઓછી નથી. આ લોકો મોટાભાગે હોસ્ટેલમાં રહેતા સ્નાતક હોય છે. જો કે, કેટલીક એવી ફેમિલી પણ હોય છે, જે તેમના ઘરની આસપાસના લગ્નમાં તૈયાર થઈને પહોંચી જાય છે. તેમનું બસ એક જ કામ હોય છે, આ લગ્નોમાં પીરસવામાં આવતા ભોજનનો સ્વાદ લેવાનું. જો તમે પણ આવું કરો છો તો આ સમાચાર તમારા માટે છે. શું તમે જાણો છો કે લગ્નની પાર્ટીમાં આમંત્રણ આપ્યા વિના જમવાથી તમને બેથી સાત વર્ષની જેલ થઈ શકે છે?

ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પરિણામ જાહેર, ફટાફટ આ વેબસાઈટ પર જઈને ચેક કરો...

વકીલે જણાવી આ વાત
આ સવાલનો જવાબ એડવોકેટ ઉજ્વલ ત્યાગીએ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે લોકો લગ્નમાં આમંત્રણ આપ્યા વિના જમવા જાય છે તેઓ ગુના કરી રહ્યા છે. જો પકડાયા તો તેમને કલમ 442 અને 452 હેઠળ બે થી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. તેમણે કહ્યું કે આમંત્રણ આપ્યા વિના લગ્નમાં જવું એ ટ્રેસપાસિંગનો મામલો છે. આવી સ્થિતિમાં આ બે કલમો હેઠળ સજા થઈ શકે છે.

ઐતિહાસિક નિર્ણય; આ વર્ગ માટે સરકારી નોકરીઓમાં બખ્ખાં! ઓજસ પર વિકલ્પ અપાશે

લોકોમાં આશ્ચર્ય
વકીલનો જવાબ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ઘણા લોકોએ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એકે લખ્યું શું એનો મતલબ કે દરેક હોસ્ટેલવાળા જેલ જશે? જ્યારે એકે લખ્યું કે ભારતમાં બિનઆમંત્રિત મહેમાનોને પણ સન્માન આપવામાં આવે છે. જ્યારે એકે કમેન્ટ કરી કે સારું થયું તેમણે વિડિયો જોઈ લીધો. તે આવું ફરી ક્યારેય નહીં કરે.

ખેતરમાં ઉભો પાક હોય તો ખાસ જાણી લેજો! અંબાલાલ પટેલની ગુજરાતના ખેડૂતોને ખાસ સલાહ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More