Home> India
Advertisement
Prev
Next

ગણતંત્ર દિવસ પર CAA પ્રદર્શનોનો ઓછાયો, PM મોદીને મળી રહ્યાં છે ધમકીભર્યા નનામા પત્રો

ગણતંત્ર દિવસ પર CAA પ્રદર્શનોનો સાયો તોળાઈ રહ્યો છે. એવો અંદેશો છે કે CAA વિરોધીઓ સુરક્ષા ઘેરો તોડીને વિરોધ કરી શકે છે. આ અંગે ગૃહ મંત્રાલયે અર્ધસૈનિક દળો અને ગુપ્તચર એજન્સીઓને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવાયું છે કે મુસ્લિમ કટ્ટરપંથીઓ ભાવનાને ભડકાવી રહ્યાં છે. ગૃહ મંત્રાલય તરફથી લખવામાં આવેલા આ પત્રમાં કહેવાયું છે કે CAA અને NRCના મુદ્દે ઉક્સાવવામાં આવી રહ્યાં છે. સંવેદનશીલ મામલે કટ્ટરપંથી તાકાતો ભાવનાઓ ભડકાવી રહી છે. દેશવિરોધી તાકાતો સરકાર વિરોધી ભાવનાઓનો ફાયદો ઉઠાવી શકે છે. 

ગણતંત્ર દિવસ પર CAA પ્રદર્શનોનો ઓછાયો, PM મોદીને મળી રહ્યાં છે ધમકીભર્યા નનામા પત્રો

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર CAA પ્રદર્શનોનો સાયો તોળાઈ રહ્યો છે. એવો અંદેશો છે કે CAA વિરોધીઓ સુરક્ષા ઘેરો તોડીને વિરોધ કરી શકે છે. આ અંગે ગૃહ મંત્રાલયે અર્ધસૈનિક દળો અને ગુપ્તચર એજન્સીઓને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવાયું છે કે મુસ્લિમ કટ્ટરપંથીઓ ભાવનાને ભડકાવી રહ્યાં છે. ગૃહ મંત્રાલય તરફથી લખવામાં આવેલા આ પત્રમાં કહેવાયું છે કે CAA અને NRCના મુદ્દે ઉક્સાવવામાં આવી રહ્યાં છે. સંવેદનશીલ મામલે કટ્ટરપંથી તાકાતો ભાવનાઓ ભડકાવી રહી છે. દેશવિરોધી તાકાતો સરકાર વિરોધી ભાવનાઓનો ફાયદો ઉઠાવી શકે છે. 

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં પ્રદર્શન અને હિંસાના અહેવાલો મળી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં સોશિયલ મીડિયા પર આપત્તિજનક સંદેશાઓમાં વધારો થયો છે. પીએમ મોદીને ધમકીભર્યા પત્રો મોકલવામાં આવી રહ્યાં છે. જે વડાપ્રધાન, અન્ય ગણમાન્ય વ્યક્તિઓ વિરુદ્ધ જોખમની ગંભીરતા દર્શાવે છે. 

આ VIDEO પણ ખાસ જુઓ

ગૃહ મંત્રાલયે આ પત્રમાં કહ્યું છે કે આવામાં કોઈ પણ વ્યક્તિ પોતાના મનસૂબાઓને પૂરા કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More