Home> India
Advertisement
Prev
Next

નવા વડાપ્રધાન કોણ હશે તેની ચિંતા PM મોદી ન કરે, ગઠબંધન BJPને ઉખાડી ફેંકશે: માયાવતી

બસપા પ્રમુખ માયાવતીએ આજે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં.

નવા વડાપ્રધાન કોણ હશે તેની ચિંતા PM મોદી ન કરે, ગઠબંધન BJPને ઉખાડી ફેંકશે: માયાવતી

નવી દિલ્હી: બસપા પ્રમુખ માયાવતીએ આજે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે દેશના નવા વડાપ્રધાન કોણ હશે તેની પીએમ મોદી ચિંતા ન કરે. ગઠબંધન આ વખતે ભાજપને ઉખાડી ફેંકશે. તેમણે કહ્યું કે જ્યારથી ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનું ગઠબંધન બન્યું છે ત્યારેથી તેમને પેટમાં દુ:ખે છે. અમારું ગઠબંધન સ્થાયી છે. 

હવે કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાથી થઈ ગઈ ભૂલ, મસૂદ વિશે બોલાઈ ગયો 'આ' શબ્દ

માયાવતીએ કહ્યું કે મોદી અને તેમની સરકારે ગઠબંધનને તોડવાના દરેક શક્ય પ્રયત્ન કર્યાં. આ માટે તેમણે સરકારી મશીનરીઓનો દુરઉપયોગ પણ કર્યો. 4 તબક્કાના મતદાનમાં ભાજપ પાછળ છે. 

fallbacks

તેમણે કહ્યું કે ફૂટ નાખો અને રાજ કરોની રાજનીતિ હેઠળ પીએમ મોદીએ પ્રતાપગઢમાં ફૂટ પાડવાની અને લડાઈની વાત કરી. પરંતુ અમારા ગઠબંધને ભારે જનસમર્થન પ્રાપ્ત છે. આથી ભાજપને પેટમાં દુ:ખે છે. માયાવતીએ કહ્યું કે આ મહિનાની 23મી તારીખે ભાજપ જશે અને કેન્દ્રને નિરંકુશ સરકારથી મુક્તિ મળશે. 

fallbacks

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More