Home> India
Advertisement
Prev
Next

આખરે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ PM મોદીની સરખામણી હનુમાનજી સાથે કેમ કરી? આ રહ્યો જવાબ

બધાને નવાઈ  લાગી ગઈ જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ભારતની મદદને બિરદાવતી વખતે રામાયણના પ્રસંગનો ઉલ્લેખ કરી પીએમ મોદીને બજરંગબલી સાથે સરખાવ્યાં. હવે તેનું કારણ સામે આવ્યું છે. 

આખરે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ PM મોદીની સરખામણી હનુમાનજી સાથે કેમ કરી? આ રહ્યો જવાબ

નવી દિલ્હી: બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી બજરંગબલી હનુમાન સાથે કરી. પીએમ મોદીની સરખામણી બજરંગબલી હનુમાન સાથે કરતા તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે બજરંગબલી હિમાલયથી લક્ષ્મણ માટે કેવી રીતે સંજીવની બુટી લાવ્યાં હતાં અને તેમનો જીવ બચાવ્યો હતો. 

અમેરિકામાં કોરોનાની ડરામણી સ્થિતિ, એક જ દિવસમાં 2000 જેટલા લોકોએ જીવ ગુમાવ્યાં

આ વાતનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રપતિએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો અને જે મદદ બ્રાઝિલ તરફથી માંગવામાં આવી તેની સરખામણી સંજીવની બુટી સાથે કરી. બ્રાઝિલે ભારતને અગાઉથી કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે મેડિકલ ઈક્વિપમેન્ટ્સ અને જરૂરી દવાઓ મોકલવા માટે ભલામણ કરી રાખી હતી જે ભારત મોકલી પણ રહ્યું છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ભારત પોતાના દેશમાં પણ કોરોનાના સંક્રમણને પહોંચી વળે છે અને દુનિયામાં પણ જરૂરિયાતવાળા દેશોની જરૂરિયાતો પૂરી પાડી રહ્યું છે. 

હવે અહીં સવાલ એ થાય કે આખરે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ હનુમાન વિશે કેવી રીતે જાણ્યું અને તેમણે આ રીતે સરખામણી કઈ રીતે કરી. તેમની આ સરખામણીએ બધાને વિચારતા કરી મૂક્યા છે. આ સમગ્ર મામલે ઈન્ડિયા ટુડે દ્વારા બ્રાઝિલના ભારતમાં રાજદૂત એન્ડ્રે અરાન્હા કોરે ડો લાગો સાથે વાતચીત કરવામાં આવી અને તેમણે વિસ્તૃત માહિતી આપી. 

કોરોનાથી ભારત સહિત દુનિયા આખી થઈ રહી છે પાયમાલ, પણ ચીનને મળી ગયો 'કુબેરનો ખજાનો'

તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ પીએમ મોદીને ફોન કરવાનો નિર્ણય એટલા માટે લેવાયો હતો કારણ કે હાલમાં જ રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે આવ્યાં હતાં. ત્યાર બાદ બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબુત થયા છે. રાષ્ટ્રપતિ બોલસોનારો એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગતા હતાં કે ભારત પાસેથી જે મદદ (હાઈડ્રોક્સીક્લોરોક્વીન) મળી છે તે તેમના માટે કેટલી મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદી આ માગણીને લઈને ખુબ સકારાત્મક હતાં. તેમણે કહ્યું કે આ અંગે સરકારમાં વાતચીત ચાલુ છે અને તેઓ જલદી તેનો જવાબ આપશે. 

રાજદૂતે એમ પણ કહ્યું કે જેમ કે તમને ખબર છે કે રાષ્ટ્રપતિ જ્યારથી ભારત આવ્યાં છે ત્યારથી તેમનો લગાવ વધી ગયો છે અને તેઓ ભારતની દરેક ચીજમાં પર્સનલી રસ લે છે. તેમના માટે એ વાત પણ મહત્વપૂર્ણ છે કે ભારતમાં ધર્મની પ્રધાનતા છે. રાષ્ટ્રપતિ બોલસોનારો પીએમ મોદીની જેમ એક ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ છે.  જેને જોતા તેમણે પત્ર લખ્યો કે પોતપોતાની પરંપરા સાથે જોડાયેલા બે ધાર્મિક લોકો પોત પોતાના ધર્મમાં ઉદાહરણ મેળવી શકે છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે બ્રાઝિલની સાથે સાથે ભારત પાડોશી દેશો અને દુનિયામાં જે લોકો કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે તેમને પણ મદદ કરી રહ્યું છે. મંગળવારે જ શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેએ પણ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતે કેવી રીતે ત્યાં મેડિકલ ઈક્વિપમેન્ટ્સ પહોંચાડ્યા તે તેમણે વર્ણવ્યુ હતું. ભારત શ્રીલંકા, માલદીવ, નેપાળ સહિત તમામ જરૂરિયાતવાળા પાડોશી દેશોને મેડિકલ ઈક્વિપમેન્ટ્સ સહિતની મદદ પહોંચાડી રહ્યું છે. 

આ સાથે જ અમેરિકા, બ્રાઝિલ સહિત દુનિયાના જે પણ દેશો કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે તેમની પણ મદદ કરી રહ્યું છે. આ જ કારણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાભરના દેશો બિરદાવી રહ્યાં છે અને તેમની પ્રશંસા કરી રહ્યાં છે. કારણ કે તેઓ દેશમાં કોરોનાને કાબુમાં રાખવામાં સફળ પણ થયા છે અને દુનિયાને જરૂરી મદદ પણ કરી રહ્યાં છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More