Home> India
Advertisement
Prev
Next

100 વર્ષ જૂની જે દવાને કોઈ હાથ પણ લગાવતુ ન હતું, આજે કોરોના માટે છે સૌથી વધુ અસરકારક

એક વાત તો તમામ વૈજ્ઞાનિકો જાણી ગયા કે, કોરોના વાયરસ (Coronavirus) ની કોઈ પણ નવી દવા વર્ષભર પહેલા આવવું મુશ્કેલ નથી. પરંતુ આ વચ્ચે એક આશા હતી કે, કોઈ આશાનું કિરણ નજર આવે. વૈજ્ઞાનિકો હવે 100 વર્ષ પહેલા તૈયાર કરાયેલા ટીકામાં જીવન જોઈ રહ્યાં છે. તાજેતરના શોધમાં સામે આવ્યું કે, કોરોના વાયરસથી લડવામાં ટીવીની સૌથી જૂની દવા કારગત સાબિત થઈ રહી છે. 

100 વર્ષ જૂની જે દવાને કોઈ હાથ પણ લગાવતુ ન હતું, આજે કોરોના માટે છે સૌથી વધુ અસરકારક

ઝી મીડિયા/બ્યૂરો :એક વાત તો તમામ વૈજ્ઞાનિકો જાણી ગયા કે, કોરોના વાયરસ (Coronavirus) ની કોઈ પણ નવી દવા વર્ષભર પહેલા આવવું મુશ્કેલ નથી. પરંતુ આ વચ્ચે એક આશા હતી કે, કોઈ આશાનું કિરણ નજર આવે. વૈજ્ઞાનિકો હવે 100 વર્ષ પહેલા તૈયાર કરાયેલા ટીકામાં જીવન જોઈ રહ્યાં છે. તાજેતરના શોધમાં સામે આવ્યું કે, કોરોના વાયરસથી લડવામાં ટીવીની સૌથી જૂની દવા કારગત સાબિત થઈ રહી છે. 

સુરત સિવિલમાં સિલિંગનો પોપડો કોરોનાના દર્દી પર પડ્યો

બીસીજીની દવામાં દેખાઈ આશા
ગત ચાર મહિનાથી કોરોના વાયરસના વિવિધ સારવારની રિસર્ચમાં સામે આવ્યું કે, બીસીજી (BCG) ના ટીકા બહુ જ અસરકારક સાબિત થયા છે. એવો દેશ, જ્યાં હજી પણ ટીવીના રોગથી મુક્તિ માટે બીસીજીના ટીકા લગાવવામાં આવે છે, ત્યાં કોરોના વાયરસનું સંક્રમણ અન્ય દેશોની સરખામણીમાં ઓછું ફેલાય. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ પર આ ટીકાથી ઓછો ફાયદો નજર આવી રહ્યો છે. પંરતુ સારી બાબત એ છે કે, જેઓને ટીબીના બચવાથી બીસીજીના ટીકા લાગેલા છે, તેમાં કોરોના વાયરસ એટેક કરવામાં સફળ નથી થઈ રહ્યું. 

અમદાવાદ : સહકાર સોસાયટીના એક જ પરિવારના 7 લોકો કોરોના પોઝિટિવ 

ભારત કરી રહ્યું તે તેની તપાસ
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PHFI) ના પ્રમુખ ડો. કે.શ્રીનાથ રેડ્ડીએ ઝી ન્યૂઝ ડિજીટલ સાથેની વાતચીતમાં કહ્યું કે, બીસીજીના ટીકા દેશમાં દરેક બાળકને લગાવવામાં આવે છે. તેનાથી ટીબીને દૂર ભગાવવામાં મદદ મળે છે. હાલમાં જ કોરોન વાયરસ પર બીસીજી ટીકાની અસર ભારતીય વૈજ્ઞાનિક પણ નજરમાં બનાવી રાખી છે. કોરોના સંક્રમણના બચાવથી આ ટીકા પર સટીક રિસર્ચ બાદ કંઈક યોગ્ય કહેવુ મુશ્કેલ હશે. 

દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મરકજ મળી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ

ઉલ્લેખનીય છે કે, ભારતમાં રાષ્ટ્રીય ટીકાકરણ અંતર્ગત તમામ બાળકોને અનિવાર્ય રૂપે બીસીજીના ટીકા લગાવવામાં આવે છે. બાળકોને ટીકાથી બચાવવા માટે જ આ ટીકા ટીકાકરણમાં સામેલ છે. અમેરિકા, ઈટલી, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ સહિત સમગ્ર યુરોપમાં કોરોના વાયરસનું સંક્રમણ બહુ જ વધુ છે. આ દેશોએ અનેક દાયકા પહેલા જ બીસીજીના ટીકા લગાવવાનું બંધ કરી દીધું હતું. હવે આ ટીકા વૈજ્ઞાનિકોના રિસર્ચનું કેન્દ્ર બનેલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More