નવી દિલ્હી: સપા નેતા આઝમ ખાને ભાજપ નેતા રમા દેવી સામે તેમના અભદ્ર નિવેદન પર લોકસભામાં માફી માગી છે. આ પહેલા સપા અધ્યક્ષ અખિલેશ યાદવે સદન શરૂ થયા પહેલા આઝમ ખાન સાથે સ્પીકર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સદનમાં આઝમ ખાને લોકસભા માફી માગી. તેમણે કહ્યું કે, મારી કોઇ પ્રકારની ખોટી લાગણી નહોતી પરંતુ જો કોઇને દુ:ખ થયું હોય છો હું માફી માગુ છું. આ વચ્ચે સપા નેતા અખિલેશ યાદવે ઉન્નાવામાં દુષ્કર્મ પીડિતાના અકસ્માતનો મુદ્દો પણ ઉઠાવે તે પહેલા સ્પીકરે તેમને રોક્યા હતા.
વધુમાં વાંચો:- કર્ણાટક Live: CM યેદિયુરપ્પાએ રજૂ કર્યા વિશ્વાસ મત, કહ્યું- ‘અમને ભૂલો અને માફ કરો પર વિશ્વાસ’
ત્યારબાદ ભાજપ નેતા રમા દેવીએ કહ્યું કે, આઝમ ખાનની સફાઇ અખિલેશ ના આપે. આઝમ ખાનનો વ્યવહાર સદનની બહાર પણ આવો જ છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે