Home> India
Advertisement
Prev
Next

અયોધ્યા કેસ LIVE: મૂર્તિઓને વિવાદિત સ્ટ્રક્ચરમાં રાખવામાં આવી હતી-મુસ્લિમ પક્ષના વકીલ

અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં 20માં દિવસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ અગાઉ બુધવારે 19મા દિવસની સુનાવણીમાં વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે વિવાદાસ્પદ જમીનના એક ભાગમાં નિર્મોહી અખાડો પૂજા કરતો હતો. જમીનના એક ભાગમાં અખાડાને પૂજા કરવાનો અધિકાર છે. રાજીવ ધવને આમ કહેતા સુનાવણી કરતા જજોએ અનેક સવાલ પૂછ્યા હતાં. આજે 20માં દિવસે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન તરફથી દલીલો શરૂ થઈ હતી. 

અયોધ્યા કેસ LIVE: મૂર્તિઓને વિવાદિત સ્ટ્રક્ચરમાં રાખવામાં આવી હતી-મુસ્લિમ પક્ષના વકીલ

નવી દિલ્હી: અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં 20માં દિવસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ અગાઉ બુધવારે 19મા દિવસની સુનાવણીમાં વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે વિવાદાસ્પદ જમીનના એક ભાગમાં નિર્મોહી અખાડો પૂજા કરતો હતો. જમીનના એક ભાગમાં અખાડાને પૂજા કરવાનો અધિકાર છે. રાજીવ ધવને આમ કહેતા સુનાવણી કરતા જજોએ અનેક સવાલ પૂછ્યા હતાં. આજે 20માં દિવસે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન તરફથી દલીલો શરૂ થઈ હતી. 

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન તરફથી દલીલો શરૂ કરાઈ જેમાં રાજીવ ધવને રાજા રામ પાંડે અને સત્ય નારાયણ ત્રિપાઠીના નિવેદનમાં વિરોધાભાસ અંગે સુપ્રીમ કોર્ટને જણાવ્યું. ધવને કહ્યું કે એવું લાગે છે કે અનેક સાક્ષીઓના નિવેદનોને પ્રભાવિત કરવામાં આવ્યાં. એક સાક્ષી અંગે જણાવતા ધવને કહ્યું કે તેણે 14 વર્ષની ઉમરે RSS જોઈન કર્યું હતું. ત્યારબાદ RSS અને VHPએ તેને સન્માનિત કર્યો. ધવને અન્ય એક સાક્ષી અંગે જણાવતા કહ્યું કે સાક્ષીએ 200થી વધુ કેસમાં જુબાની આપી છે અને વિશ્વાસ કરે છે કે એક જૂઠ્ઠું બોલવાથી કોઈ નુકસાન નથી જ્યારે મંદિરની જમીન જબરદસ્તીથી છીનવાઈ ગઈ છે. 

INX મીડિયા: ED કેસમાં ચિદમ્બરમને સુપ્રીમે આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

વકીલ રાજીવ ધવને કહ્યું કે નિર્મોહી અખાડો 1734થી અસ્તિત્વનો દાવો કરે છે. હું કહી શકું છું કે નિર્મોહી અખાડો 1855માં બહારનું આંગણું હતું અને તેઓ ત્યાં રહે છે. રામ ચબુતરો બહારના આંગણામાં છે જેને રામ જન્મ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અને મસ્જિદને વિવાદાસ્પદ સ્થળ ગણવામાં આવે છે. ધવને નિર્મોહી અખાડાના સાક્ષીઓના નોંધાયેલા નિવેદનોને ટાંકીને મહંત ભાસ્કર દાસના નિવેદનના હવાલે કહ્યું કે તેમણે સ્વીકાર્યું હતું કે મૂર્તિઓને વિવાદાસ્પદ સ્ટ્રક્ચરમાં રાખવામાં આવી હતી. રાજીવ ધવને શ્રી કે.કે. નાયર અને ગુરુદત્ત સિંહ, ડીએમ અને સિટી મેજિસ્ટ્રેટની 1949ની તસવીરોને કોર્ટમાં દેખાડી. 

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે આ વિરોધાભાસ હોવા છતાં તમે સ્વીકારી રહ્યા છો. તેમણે પોતાની શેબાઈટીના અધિકાર સ્થાપિત કર્યા છે. રાજીવ ધવને કહ્યું કે હું તેમને જૂઠ્ઠો નથી કહેતો પરંતુ હું એમ સમજવા માંગુ છું કે તેઓ પોતાને શેબેટા તો ગણાવે છે પરંતુ તેમને માલુમ નથી કે ક્યારથી શેબેટ (દેવતાની સેવા કરનારા) છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે જો તમે નિર્મોહી અખાડાના અસ્તિત્વને માની રહ્યા છો તો તેમના સંપૂર્ણ સાક્ષ્યને સ્વીકારવામાં આવશે. રાજીવ ધવને કહ્યું કે કેટલાક કહે છે કે 700 વર્ષ અગાઉ, કેટલાક તેનાથી પણ પહેલાના માને છે. હું નિર્મોહી અખાડાની ઉપસ્થિતિ 1855થી માનુ છું., 1885માં મહંત રઘુવર દાસે કેસ દાખલ કર્યો, અમે 22-23 ડિસેમ્બર, 1949ના નિવેદન પર વાત કરી રહ્યાં છીએ. 

જુઓ LIVE TV

બુધવારે 4 ડિસેમ્બરના રોજ સૌથી પહેલો સવાલ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે પૂછ્યો હતો કે જો જમીનના એક ભાગમાં નિર્મોહી અખાડાને પૂજા કરવાનો અધિકાર છે તો પછી દેવતાને પણ અધિકાર બને છે અને દેવતાનો અધિકાર સમગ્ર જમીન પર હોઈ શકે છે. 

પૂજાનો અધિકાર સૌથી વધુ દેવતાનો હોય છે. તે વાતનો ધવને કોઈ નક્કર જવાબ ન આપતા કહ્યું કે સવાલ એ છે કે પૂજાનો અધિકાર જમીનના કયા ભાગ પર છે. જસ્ટિસ અબ્દુલ નાઝીરે પૂછ્યું હતું કે શું તમને નિર્મોહી અખાડાના પૂજાના અધિકારથી કોઈ આપત્તિ નથી. જેના પર ધવને કહ્યું હતું કે કોઈ આપત્તિ નથી. જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું હતું કે એટલે કે તમે માની રહ્યા છો કે તે વિવાદિત જમીન પર મંદિર અને મસ્જિદ બંને એક સાથે અસ્તિત્વમાં હતાં. ધવને ફરીથી સમજાવ્યું કે હકીકતમાં મસ્જિદનો એક ભાગ બહારનો હિસ્સો છે જ્યાં રામ ચબુતરો હતો. 

રામ ચબુતરાની આગળ એક દરવાજો રહેતો હતો જ્યાંથી લોકો મસ્જિદમાં નમાજ પઢવા માટે જતા હતાં. રામ ચબુતરાનો જે ભાગ છે ત્યાં નિર્મોહી અખાડાને પૂજાનો અધિકાર છે. પરંતુ સમગ્ર વિવાદાસ્પદ જમીન પર માલિકી હક નથી. સમગ્ર જમીન પર મુસ્લિમ પક્ષકારોનો જ માલિકી હક છે. હા એ જરૂર છે કે રામ ચબુતરા પર નિર્મોહી અખાડો પૂજા કરી શકે છે. ધવને કહ્યું હતું કે એ સમજવું પડશે કે પૂજાનો અધિકાર અને જમીનનો માલિકી હક બંને અલગ અલગ વસ્તુ છે. નિર્મોહી અખાડાને રામ ચબુતરા પર પૂજાનો અધિકાર હોઈ શકે છે પરંતુ માલિકી હક નથી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More