Assam News: અસમમાં કાઝી હવે આસામમાં મુસ્લિમોના લગ્નની નોંધણી કરાવી શકશે નહીં.. જી હા..અસમ કેબિનેટે મુસ્લિમ લગ્ન નોંધણી બિલ 2024ને મંજૂરી આપી દીધી છે. અલમ સરકારે મુસ્લિમ પર્સનલ લોની કેટલીક જોગવાઈઓ રદ નિષ્ણાતોનું કહેવું છે કે જો તે પાસ થઈ જશે તો યુનિફોર્મ સિવિલ કોડની દ્રષ્ટિએ તે એક મોટું પગલું હશે. પહેલાં, મુસ્લિમ લગ્નો કાઝી દ્વારા રજીસ્ટર કરવામાં આવતા હતા, પરંતુ આ નવું બિલ એ સુનિશ્ચિત કરશે કે સમુદાયમાં થતા તમામ લગ્ન સરકારમાં રજીસ્ટર થશે.' હવે સગીરોના લગ્નનું રજિસ્ટ્રેશન બિલકુલ નહીં થાય.
હિંમતા સરમાએ કહ્યું અમે બાળ લગ્નની દુષ્ટ પ્રથાને ખતમ કરવા માંગીએ છીએ. તેથી, લગ્નની નોંધણી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં કરવામાં આવશે.સીએમ હિમંતાએ કહ્યું કે લગ્ન સમારોહ દરમિયાન મુસ્લિમો દ્વારા અનુસરવામાં આવતી ધાર્મિક વિધિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં, પરંતુ કાઝી દ્વારા નોંધણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને આસામ કેબિનેટે આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ 1935ના નિયમોને રદ્દ કરવાના બિલને મંજૂરી આપી હતી, જે અંતર્ગત ખાસ સંજોગોમાં નાની ઉંમરમાં લગ્નની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સવાલ એ થાય છે કે શું હવે અસમની જેમ દેશમાં પણ મુસ્લિમ લગ્નની નોંધણી અંગે નવો બિલ લાવવામાં આવશે. શુ સગીર બાળકોના લગ્ન અટકાવવા આ બિલ દેશ માટે પણ જરૂરી છે.
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, નવી મહામારીને લઈ આ રાજ્યને અપાયુ એલર્ટ
આવું એટલા માટે કહી શકાય... કેમ કે અસમ સરકારે વિધાનસભામાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી બિલ 2024 રજૂ કર્યુ છે... આ અંતર્ગત મુસ્લિમ સમુદાયના લોકોએ લગ્ન અને છૂટાછેડા માટે નોંધણી કરાવવી પડશે. બુધવારે અસમ સરકારે કેબિનેટમાં આ બિલને મંજૂરી આપી હતી. અને ગુરુવારે તેને વિધાનસભામાં રજૂ કરી દેવામાં આવ્યું. આ બિલમાં બે વિશેષ જોગવાઈ રાખવામાં આવી છે.
અસમ સરકારના આ નિર્ણયથી સગીર વયની મુસ્લિમ દીકરીઓને મોટી રાહત થઈ છે. કેમ કે મુસ્લિમ સમાજમાં અનેકવખત દીકરી સગીર વયની થાય એટલે તેના નિકાહ પઢાવી દેવામાં આવતા હતા. જેના કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે આ બિલથી તેમને ફાયદો થશે.
આજે અસમ વિધાનસભામાં સરકાર વિધેયક લાવશે. જેમાં મુસ્લિમ પર્સનલ લૉની કેટલીક જોગવાઈઓ રદ કરાઈ છે. જો આ બિલ વિધાનસભામાં પાસ થઈ જશે તો મોટુ પગલુ ગણાશે. સમાન નાગરિક કાયદાનો માર્ગ મોકળો થઈ જશે.
અસમ સરકારના આ નિર્ણયથી સગીર વયની મુસ્લિમ દીકરીઓને મોટી રાહત થઈ છે. કેમ કે મુસ્લિમ સમાજમાં અનેકવખત દીકરી સગીર વયની થાય એટલે તેના નિકાહ પઢાવી દેવામાં આવતા હતા. જેના કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે આ બિલથી તેમને ફાયદો થશે.
મુખ્યમંત્રી હિમંત બિશ્વમા સરમાએ થોડાક દિવસ પહેલાં જ રાજ્યમાં બદલાતી ડેમોગ્રાફી પર ચિંતા વ્યક્ત કરી હતી... તેમણે દાવો કર્યો હતો કે...
રાજ્યમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે...
અસમમાં હવે તે 40 ટકા સુધી પહોંચી ગઈ છે....
ત્યારે અત્યાર સુધી કાઝીઓ લગ્ન કરાવીને લહ જેહાદને પ્રોત્સાહન આપતા હતા તેના પર નિયંત્રણ આવશે... અને કોના-કોના લગ્ન થાય છે તેનો તમામ રેકોર્ડ સરકાર પાસે રહેશે....
વાહ! ગુજરાતની અમૂલ ડેરીએ અમેરિકા-ચીનને પછાડી બની દુનિયાની નંબર વન બ્રાન્ડ!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે