Home> India
Advertisement
Prev
Next

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 જાનૈયાઓના મોત, કારનો છુંદો વળી ગયો

Jhalawad: મળતી માહિતી મુજબ તમામ લોકો એક વાનમાં મધ્યપ્રદેશથી ડુગરગાંવ સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અકલેરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ બિશ્નોઈએ જણાવ્યું કે અકલેરા નજીકના ડુંગર ગામના બાગરી સમુદાયના લોકો શનિવારે તેમના સંબંધીના લગ્ન સમારોહમાં મધ્યપ્રદેશ ગયા હતા.

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 જાનૈયાઓના મોત, કારનો છુંદો વળી ગયો

Car Truck Acccident Rajasthan: રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ઝાલાવાડના અકલેરા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત થયા છે. મોડીરાત્રે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાત્રી દરમિયાન જાનૈયાઓની કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી. જેમાં 9 જાનૈયાના મોત થયા છે. જ્યારે કે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 

ફરી પંકજ ત્રિપાઠીના પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટ્યો, ગમગીન બન્યા બોલીવુડ અભિનેતા

આ તમામ લોકો અકલેરાના જ રહેવાસી હતા. તેઓ એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે મધ્યપ્રદેશ ગયા હતા. ત્યાંથી પરત આવતા સમયે અકલેરા વિસ્તારમાં જ અકસ્માતની ઘટના બની હતી. હાલ તો પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક કારણ મુજબ ટ્રક અને કાર બંને પુરપાટ ઝડપે દોડતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

Blue Whale Game Challenge ના લીધે ભારતીય વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ, જાણો શું છે મામલો
એન્જીનિયરિંગ બાદ વિદેશમાં લાખોનો પગાર... પછી નોકરી છોડી બન્યા સાધુ

મળતી માહિતી મુજબ તમામ લોકો એક વાનમાં મધ્યપ્રદેશથી ડુગરગાંવ સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અકલેરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ બિશ્નોઈએ જણાવ્યું કે અકલેરા નજીકના ડુંગર ગામના બાગરી સમુદાયના લોકો શનિવારે તેમના સંબંધીના લગ્ન સમારોહમાં મધ્યપ્રદેશ ગયા હતા.

પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકશે આ Fan, રાત્રે માણશો કુંભકર્ણ જેવી મીઠી નીંદર
ફક્ત 3.47 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરો 1200Km નોનસ્ટોપ દોડશે

બાગરી સમુદાયના છે તમામ યુવાનો 
કહેવામાં આવી રહ્યું છે કે કારમાં બેઠેલા બાગરી સમુદાયના 9 યુવકોના મોત થયા છે. માહિતી મળતા જ એએસપી ચિરંજીલાલ મીણા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ટ્રોલી ચાલકને ઝડપી લીધો છે. પૂછપરછ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં માર્ગ અકસ્માતો સતત વધી રહ્યા છે. વાહનવ્યવહાર અને માર્ગ સુરક્ષા વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઝાલાવાડના અકલેરામાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઝાલાવાડમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વાહનો ધમધમે છે, પરંતુ આવા વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. 

10 રૂપિયામાં શેર વેચી રહી છે આ દિગ્ગજ કંપની, દાવ લગાવવાની અંતિમ તક, GMP માં તેજી
6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More