Home> India
Advertisement
Prev
Next

જમ્મુ-કાશ્મીરઃ કુલગામમાં 5 બિન-કાશ્મીરી મજુરોની આતંકવાદીઓએ કરી હત્યા

સૂત્રોએ જણાવ્યું કે, આ હુમલામાં એક મજુર ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી અુસાર માર્યા ગયેલા તમામ મજૂરો પશ્ચિમ બંગાળના હતા અને તેઓ અહીં રોજમદાર તરીકે કામ કરતા હતા. 

જમ્મુ-કાશ્મીરઃ કુલગામમાં 5 બિન-કાશ્મીરી મજુરોની આતંકવાદીઓએ કરી હત્યા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ પાંચ બિનકાશ્મીરી મજૂરોની ગોળી મારીને હત્યા કરી નાખી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ હુમલામાં એક મજુર ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી અુસાર માર્યા ગયેલા તમામ મજૂરો પશ્ચિમ બંગાળના હતા અને તેઓ અહીં રોજમદાર તરીકે કામ કરતા હતા. 

જમ્મુ-કાશ્મીર પોલીસના સૂત્રોએ ANIને જણાવ્યું કે, સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને મોટા પાયે સર્ચ ઓપેરશન હાથ ધરવામાં આવ્યું છે. વધારાના સુરક્ષા દળો પણ બોલાવાયા છે. 

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના દ્રબગામમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

આ હુમલો એવા સમયે કરાયો છે જ્યારે યુરોપિયન યુનિયનના 28 સાંસદો કાશ્મીરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. 

આ પહેલા મંગળવારે બપોરના સમયે પુલવામાના દ્રબગામ વિસ્તારમાં સુરક્ષા દળો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષદળોએ પણ જવાબમાં ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં કોઈ ઘાયલ થયું ન હતું. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

જુઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More