નવી દિલ્હી: કેરલ (Kerala)માં કોરોના વાયરસ (Corona virus)ના પાંચ નવા દર્દીઓ (Patients)ની પુષ્ટિ થઇ છે. કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ભારત અત્યાર સુધી કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 39 થઇ ગયો છે.
કેરલના સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલજાએ કહ્યું કે 'કોરોના વાયરસના 5 નવા પોઝિટિવ કેસને અહીં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ ત્રણ લોકો ઇટલીથી પરત ફર્યા છે. પતનમથિટ્ટા જિલ્લામાં વધુ બે લોકોને આ બિમારી થઇ છે.
આ પહેલાં કોવિડ-19ના ઘાતક પ્રભાવોને ધ્યાનમાં રાખતાં કુવૈતના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા ભારત સહિત દુનિયાના સાત દેશોની યાત્રા અનચાનક લગાવવામાં આવેલા પ્રતિબંધ સાથે શનિવારે કોઝિકોડના કારીપુર એરપોર્ટ પર લગભગ 170 મુસાફરો ફસાઇ ગયા.
શનિવારે શરૂ થઇને એક અઠવાડિયા સુધી લગાવવામાં આવેલા પ્રતિબંધ કુવૈતથી ભારત સહિત ફિલીપિંસ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મિશ્ર, સીરિયા અને લેબનોન જનાર એરલાઇનો પર લાગૂ થશે.
આ પ્રતિબંધ વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરનના તે નિવેદન બાદ લગાવ્યો છે, જેમાં તેમણે કહ્યું કે કુવૈત સરકારે મધ્ય પૂર્વની યાત્રા કરનાર મુસાફરોને કોરોનાવાયરસ મુક્ત પ્રમાણ પત્ર રાખનાર પોતાના જુના નિર્ણયને રદ કરી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે