Home> India
Advertisement
Prev
Next

જનતાને મોટી રાહત: Diabetes થી માંડીને હાર્ટના રોગોની સારવાર થશે સસ્તી, 41 વધુ દવાઓના ભાવ ઘટ્યા

Essential Drugs Price: ભારત સરકારે ડાયાબિટીઝ-હાર્ટ અને લીવર જેવી બિમારીઓની સારવાર માટે કામ આવતી દવાઓના ભાવ પર રાહત આપવાનો નિર્ણય લીધો છે. સરકારે 41 દવાઓ અને 6 ફોર્મૂલેશનના ભાવ નક્કી કર્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સામાન્ય જનતાને મોટી રાહત મળશે. 

જનતાને મોટી રાહત: Diabetes થી માંડીને હાર્ટના રોગોની સારવાર થશે સસ્તી, 41 વધુ દવાઓના ભાવ ઘટ્યા
Karnal KumarDushyant|Updated: May 17, 2024, 10:23 AM IST

Diabetes Medicine Rate: આમ તો દુનિયામાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ ચીનમાં છે. પરંતુ ભારત પણ પાછળ નથી. વર્ષ 2021ના આંકડા દર્શાવે છે કે તે સમયે ભારતમાં શુગરના 7.41 કરોડ દર્દીઓ હતા. સુગરના દર્દીઓની સાથે હૃદયના દર્દીઓ અને લીવરની બીમારીથી પીડિત દર્દીઓને હવે થોડી રાહત મળશે. સરળતા કારણ કે આ રોગોની સારવાર માટે સામાન્ય રીતે વપરાતી 41 દવાઓ અને છ ફોર્મ્યુલેશનની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય કેન્દ્ર સરકારની એજન્સી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીનો છે.

ભારત સરકારે ડાયાબિટીઝ-હાર્ટ અને લીવર જેવી બિમારીઓની સારવાર માટે કામ આવતી દવાઓના ભાવ પર રાહત આપવાનો નિર્ણય લીધો છે. સરકારે 41 દવાઓ અને 6 ફોર્મૂલેશનના ભાવ નક્કી કર્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સામાન્ય જનતાને મોટી રાહત મળશે. 

GUJCET: ગુજરાત CET કાઉન્સિલ રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ, અહીં ચેક કરો નવું શિડ્યૂલ
9-10 જૂનની આસપાસ દસ્તક દેશે મોનસૂન, ગરમીમાંથી મળશે રાહત, સારા વરસાદના અણસાર

એનપીપીએની બેઠકમાં લીધો નિર્ણય
ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનના અનુસાર એંટાસિડ, મલ્ટીવિટામિન અને એન્ટીબાયોટિક્સ તે દવાઓમાંથી જે સસ્તી થઇ જશે. ફાર્મા કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે વિભિન્ન દવાઓનાની કિંમતની જાણાકરી તત્કાલ પ્રભાવથી ડીલરો અને સ્ટિક્સ્ટોને આપે. એનપીપીએની 143મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી એ સુનિશ્વિત કરી શકાય કે જરૂરી દવાઓની કિંમત જનતા માટે સસ્તી રહે. 

બજાર-મોલ કરતાં અહીં સસ્તો મળે છે સામાન, અમદાવાદમાં પણ સ્ટોલ, જોઇશે Smart Card
Viral Video: 'ફ્રીમાં રાશન લો છો અને વોટ નથી આપતા', હોમગાર્ડે ચોકીદારને ફટકાર્યો

ભારતમાં ડાયાબિટીઝના 10 કરોડથી વધુ દર્દી
ભારત દુનિયામાં ડાયાબિટીસના સૌથી વધુ કેસ ધરાવનાર દેશમાંથી એક છે. દેશમાં 10 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે, જેમને દાવાને કિંમતમાં ઘટાડો કરવાથી લાભ થવાની આશા છે. ગત મહિને ફાર્માસ્ટિકલ્સ વિભાગે 1 એપ્રિલથી પ્રભાવી 923 અનુસૂચિત દવા ફોર્મૂલેશન માટે પોતાની 65 ફોર્મ્યુલેશન માટે તેની વાર્ષિક સુધારેલી ટોચમર્યાદા કિંમતો અને સુધારેલા છૂટક કિંમતો બહાર પાડી.

Mango Eating Tips: કેરી ખાતા પહેલાં જરૂર કરી લો આ કામ, નહીંતર થઇ શકે છે નુકસાન

ઘણી દવાઓ સસ્તી થશે
ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર એન્ટાસિડ્સ, મલ્ટીવિટામિન્સ અને એન્ટિબાયોટિક દવાઓ સસ્તી થશે. આ સાથે તમામ ફાર્મા કંપનીઓને વિવિધ દવાઓના નીચા ભાવની માહિતી ડીલરો અને સ્ટોકિસ્ટોને તાત્કાલિક અસરથી આપવા સૂચના આપવામાં આવી છે.

ઉનાળામાં માટલાનું પાણી પીતી વખતે કરશો નહી આ ભૂલ, સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર
Rahu Gochar 2024: શનિના નક્ષત્રમાં રાહુની એન્ટ્રી, આ રાશિવાળું થશે કલ્યાણ, ગાડી-બંગલા બંધાશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે