નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ, અહીંના લોકનાથ મંદિરના જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન ભાગદોડ મચી જેમાં 4 લોકોના મોત થયા છે. આ સાથે જ 27 લોકો ઘાયલ થયા છે. આ ભાગદોડ મંદિરની બાઉન્ડ્રી વોલ શ્રદ્ધાળુઓ પર પડવાના કારણે મચી. હકીકતમાં સવારે વરસાદથી બચવા માટે લોકો આ બાઉન્ડ્રી વોલની આડમાં ઊભા હતાં. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે.
જુઓ LIVE TV
મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ અકસ્માતની ગંભીરતા જોતા મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સાથે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે. સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 50000 રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે