Home> Health
Advertisement
Prev
Next

હવે ઉનાળાની ગરમીમાં પણ દૂધ અને ખોરાક નહીં થાય ખરાબ, બસ અપનાવો આ સરળ Tips

World Food Safety Day:  ઉનાળામાં તમારે બધાએ દૂધ અથવા ખોરાકના બગાડની સમસ્યાનો સામનો કરવો પડતો હશે.  બગડેલું આહાર ખાવાથી તમને ફૂડ પોઇઝનિંગનું જોખમ રહેલું છે. પરંતુ કેટલીક સરળ યુક્તિઓની મદદથી, તમે ઉનાળામાં દૂધ અથવા ખોરાકને બગાડમાંથી બચાવી શકો છો. ચાલો આપણે તેમના વિશે જાણીએ.

હવે ઉનાળાની ગરમીમાં પણ દૂધ અને ખોરાક નહીં થાય ખરાબ, બસ અપનાવો આ સરળ Tips

નવી દિલ્લીઃ વિશ્વ ફૂડ સેફટી ડે દર વર્ષે 7 જૂને ઉજવવામાં આવે છે. વર્ષ 2021 માટેના વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની થીમ છે 'સેલ્ફ ફૂડ ટુડે એક હેલ્ધી કાલે'. દિવસની જાહેરાત યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી અને ફૂડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ડિસેમ્બર 2018 માં કરવામાં આવી હતી. જેથી સમગ્ર વિશ્વને ખોરાકની સલામતી અને બગડેલા ખોરાકને લીધે થતાં રોગો વિશે જાગૃત કરી શકાય.

ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો

ઉનાળામાં તમારે બધાએ દૂધ અથવા ખોરાકના બગાડની સમસ્યાનો સામનો કરવો પડતો હશે.  બગડેલું આહાર ખાવાથી તમને ફૂડ પોઇઝનિંગનું જોખમ રહેલું છે. પરંતુ કેટલીક સરળ યુક્તિઓની મદદથી, તમે ઉનાળામાં દૂધ અથવા ખોરાકને બગાડમાંથી બચાવી શકો છો. ચાલો આપણે તેમના વિશે જાણીએ.

Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

ખરાબ ખોરાકથી લગભગ 200 રોગો થઈ શકે છે:
WHO અનુસાર, અસુરક્ષિત અને બગડેલા ખોરાકમાં ખતરનાક બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવીઓ અને રાસાયણિક પદાર્થો હોઈ શકે છે, જેનાથી ઝાડાથી કેન્સર સુધીની 200 જેટલી રોગો થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે એક અંદાજ મુજબ દુનિયાભરના દર 10 લોકોમાંથી 1 વ્યક્તિ ચેપગ્રસ્ત અથવા બગડેલું ખોરાક ખાવાથી બીમાર પડે છે અને દર વર્ષે લગભગ 4 લાખ 20 હજાર લોકો ખોરાકજન્ય બિમારીથી મૃત્યુ પામે છે. બગડેલા ખોરાકને લીધે બાળકો બીમાર થવાનું જોખમ વધારે છે.

Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?

કેવી રીતે ખોરાકને બગડતો અટકાવી શકાય?
ઉનાળાની ઋતુમાં તમે સવારે જે રસોઇ કરો છો તે બપોર કે સાંજ સુધી બગડે છે. તે દૂધ, ફળ કે શાકભાજી પણ હોઈ શકેછે. પરંતુ આ સરળ યુક્તિઓ અપનાવ્યા પછી, તમને આ સમસ્યાથી રાહત મળશે.
1- જો તમે ભાત બનાવ્યા છે અને તે વધ્યા છે, તો ચિંતા કરશો નહીં. તમે ફક્ત તેમને બોક્સમાં બંધ કરો, જેમાં હવા ન જઇ શકે. હવે આ બોક્સને ફ્રિજમાં રાખો અને પછી સાંજે અથવા બીજા દિવસે સવારે આરામથી ખાઓ.

2- જો તમે થોડા કલાક પહેલા બનાવેલ દાળનું સેવન કરો છો, તો તેને ગરમ કરવાનું ભૂલશો નહીં.

3- ઉનાળામાં, દૂધ ફાટવાની અથવા બગાડવાની પરિસ્થિતિને ઘણી વખત સામનો કરવો પડે છે. પરંતુ તમે આ સમસ્યાને રોકી શકો છો. આ માટે તમારે ફક્ત દૂધને સારી રીતે ઉકાળવું  અને પછી તેને ફ્રિજમાં રાખો. જો તમારી પાસે ફ્રિજ અથવા લાઈટ ન હોય તો, પછી મોટા પાત્રમાં સામાન્ય પાણી ભરો અને પાણીને વચ્ચે દૂધને રાખો..

ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!

4-કઠોળ અથવા અન્ય સુકા શાકભાજી રાંધતી વખતે તેમાં થોડું નાળિયેર નાખો. નાળિયેર ઉમેરવાથી શાકભાજી લાંબા સમય સુધી સલામત રહેશે અને નાળિયેરનું સેવન કરવાના ફાયદાઓ પણ મળશે...

5- કોઈ પણ ખાદ્ય ચીજો રાંધવા કે તૈયાર કર્યા પછી તરત જ ફ્રિજમાં ના રાખો..તેને પહેલા ઠંડુ થવા દો અને ત્યારબાદ તેને ફ્રિજમાં રાખો.

6- જો તમે ઓફિસમાં ખાવાનું લાવતાં હોવ છો, તો ઠંડુ થાય ત્યારબાદ જ ટિફિનમાં ખોરાક રાખો અને ઓફિસ આવ્યા પછી બેગમાંથી ખોરાક બહાર કાઢો.

7- પહેલા કાચી શાકભાજી અને ફળો સારી રીતે ધોઈ લો. પછી તેને ફ્રિજમાં રાખો. ઓછી માત્રામાં અથવા તમે બેથી ત્રણ દિવસમાં પૂરું કરી શકો તેટલું ફળો અથવા શાકભાજી ખરીદવાનો પ્રયાસ કરો.

ડુંગળી ખાતા સમયે નહીં પરંતુ કાપતાં સમયે જ કેમ આવે છે આંખમાં આંસુ? ચોંકાવનારું છે કારણ

અમેરિકાનું આ દેશ જોડે કેમ છેલ્લાં 20 વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ? અત્યાર સુધી થઈ ચૂક્યો છે 145 લાખ કરોડનો ખર્ચ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More