Home> Health
Advertisement
Prev
Next

વિશ્વ આર્થરાઈટીસ દિવસ: વિશ્વમાં 150થી વધુ પ્રકારના જોવા મળે છે આર્થરાઈટીસ

ઓસ્ટિયો આર્થરાઈટિસ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ સામાન્ય છે. લગભગ, 65 વર્ષથી વધુ ઉંમરની 45% સ્ત્રીઓમાં લક્ષણો હોય છે જ્યારે 65 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાંથી 70% ઓસ્ટિયો આર્થરાઈટિસના રેડિયોલોજીકલ પુરાવા દર્શાવે છે.  

વિશ્વ આર્થરાઈટીસ દિવસ: વિશ્વમાં 150થી વધુ પ્રકારના જોવા મળે છે આર્થરાઈટીસ

દર વર્ષે તા.12 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ આર્થરાઈટીસ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં સાંધાના દુઃખાવાના રોગ પ્રત્યે જાગૃતતા લાવવી તેમજ સાવચેતી રાખવાના અભિગમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘વિશ્વ આર્થરાઈટીસ દિવસ’ ની થીમ "તે તમારા હાથમાં છે, પગલાં લો" થીમનો ઉદ્દેશ સંધિવાથી પીડિત લોકોને, તેમની સંભાળ રાખનારાઓ, પરિવારો અને સામાન્ય લોકોને તેમની જીવનશૈલી સુધારવા માટે પગલાં લેવાની દરેક તકનો લાભ લેવા પ્રોત્સાહિત કરવાનો છે.

ડો. કિન્નર અવાશિયાએ જણાવ્યું કે "અસ્થિવાએ બીજી સૌથી સામાન્ય સંધિવા સંબંધી સમસ્યા છે અને તે ભારતમાં 22% થી 39% ની વ્યાપ સાથે સૌથી વધુ વારંવાર થતો સાંધાનો રોગ છે. ઓસ્ટિયો આર્થરાઈટિસ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ સામાન્ય છે. લગભગ, 65 વર્ષથી વધુ ઉંમરની 45% સ્ત્રીઓમાં લક્ષણો હોય છે જ્યારે 65 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાંથી 70% ઓસ્ટિયો આર્થરાઈટિસના રેડિયોલોજીકલ પુરાવા દર્શાવે છે.  

ઑસ્ટિયોઆર્થરાઇટિસ મુખ્યત્વે વૃદ્ધ વસ્તીને અસર કરે છે. તે વિશ્વભરમાં મોટી વયના લોકોમાં અપંગતાનું મુખ્ય કારણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ વિશ્વભરમાં 60 વર્ષથી વધુ ઉંમરના 9.6% પુરૂષો અને 18.0% સ્ત્રીઓમાં ઓસ્ટિઓઆર્થરાઈટિસ રોગના લક્ષણો છે. અસ્થિવાથી પીડિત 80% લોકો હલનચલનમાં મર્યાદા ધરાવે છે, અને 25% તેમની જીવનની મુખ્ય દૈનિક પ્રવૃત્તિઓ કરી શકતા નથી.

નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ટ્રોમા સર્જન ડો. કિન્નર અવાશિયા એ વધુ વાત કરતા જણાવ્યું કે "જો કોઈ વ્યક્તિ સંધિવાથી પીડાય છે, તો પ્યુરિન વધુ હોય તેવા ખોરાકને ટાળવો જોઈએ. શુદ્ધ ખાંડ, શુદ્ધ લોટ, શુદ્ધ તેલ, પ્રોસેસ્ડ મીટ, MSG ધરાવતા પ્રોસેસ્ડ ફૂડ અને છાશ પ્રોટીન જેવા ખોરાકને ટાળવાની ખાતરી કરો." આ ખોરાક શરીરમાં બળતરા પેદા કરવા માટે જવાબદાર છે અને ક્રોનિક સોજા એ રુમેટોઇડ સંધિવાના મુખ્ય લક્ષણોમાંનું એક છે. આ ઉપરાંત, આ ખોરાક, જ્યારે ટાળવામાં આવે તો વધુ સારા પરિણામો આપશે.

ભારતમાં નીચે મુજબ ના આર્થરાઇટિસ જોવા મળે છે:

ડિજનરેટિવ/ એજિંગ આર્થરાઇટિસ (વધતી જતી ઉંમરને કારણે થતો આર્થરાઇટિસ)
આ સૌથી સામાન્ય એવો અને જીવનની વિવિધ પ્રવૃતિઓ દરમિયાન હાનિ થવાના લીધે થતો આર્થરાઈટીસ છે, જેમાં કેટલાક પરિબળો કારણભૂત હોય છે જેમકેઃ વારસાગત, શરીરનું વજન/બીએમઆઈ સંબંધિત, આદતો સંબંધિત, કસરત નો અભાવ, અગાઉની ઈજાઓ ને કારણે આ પ્રકાર નું આર્થરાઇટિસ જોવા મળે છે. 

એનો અર્થ એ છે કે જો તમારા માતાપિતાને આર્થરાઈટીસ હોય તો તમને પણ અન્યો કરતાં થોડું વધુ જોખમ રહે છે. જો તમારૂં BMI વધારે છે, તો તેના કારણે વજન સહન કરતા સાંધાઓ પર વધુ દબાણ આવી શકે છે અને આર્થરાઈટીસ થવાની શક્યતા વધે છે. 

જમીન પર બેસવાની ખોટી આદત, પલાંઠી કે પગની આંટી મારીને બેસવું, ભારતીય પદ્ધતિ મુજબના ટોઈલેટ્સનો ઉપયોગ વગેરેથી તમારા ગોઠણના સાંધામાં અમુક ઉંમરે હાની થાય છે અને તમે જો સ્નાયુ મજબૂત થાય એવી કસરતો ન કરો તો ત્યારે આ રોગની શક્યતા રહે છે. બાળપણમાં તમારા સાંધામાં થયેલી કોઈ ઈજાઓ, આગળના જીવનમાં સાંધાઓને વધુ નુકસાન પહોચાડી શકે છે .

ઇન્ફ્લેમેટરી (સોજાયુક્ત) આર્થરાઇટિસ 
આપણું શરીર ઘણી શક્તિશાળી રોગપ્રતિકારક પ્રણાલી ધરાવે છે જે આપણને વિવિધ રોગોથી સુરક્ષિત રાખે છે પણ કેટલાક વ્યક્તિઓની આ પ્રણાલી ભૂલથી એન્ટિજન્સ અને એન્ટીબોડી વચ્ચે પ્રતિક્રિયા આપે છે, જેના પરિણામે તે કેટલાક સાંધાઓ પર હુમલો કરે છે.

ઇન્ફ્લેમેટરી (સોજાયુક્ત) આર્થરાઇટિસના સામાન્ય ઉદાહરણ જેવા કે 

- રૂમેટોઇડ 
- સોરીયાટીક 

આ પ્રકારના આર્થરાઈટીસમાં, દર્દીએ નિયમિત રીતે ડોકટરની મુલાકાત લેવાની રહે છે, જેઓ તેમને સોજાને અંકુશમાં રાખવા માટે વિવિધ માર્ગો દર્શાવશે અને દવાઓથી રોગપ્રતિકારક શક્તિને અસર કરીને રોગને અંકુશમાં લે છે. સારવારનો હેતુ પીડાને અંકુશમાં રાખવાનો, અક્કડને ઘટાડવાનો અને વિકલાંગતાને ઘટાડવાનો છે કે જેના કારણે ખૂબ પીડા થતી હોય છે અને જીવનના વિવિધ તબક્કે વધે છે. કેટલાક જનીનસંબંધિત કે પર્યાવરણીય પરિબળો હોય છે કે જે રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. જેમકે ધુમ્રપાન કરવું કે શરીરમાં કેટલાક એવા જનીનની ઉપસ્થિતિ હોવી. 

રૂમેટોઈડ આર્થરાઈટીસના મામલે પુરૂષો કરતાં મહિલાઓ વધુ તેની અસર થતી હોય છે. રૂમેટોઈડ આર્થરાઈટીસ હાથ/પગના નાના સાંધા સહિત અનેક સાંધાઓને અસર કરી શકે છે અને કોણી, ખભા અને ગોઠણ જેવા શરીરમાં રહેલા અન્ય મોટા સાંધાઓને પણ અસર કરી શકે છે. સારવાર ન થાય તો આ આર્થરાઈટીસ ઝડપથી ફેલાય છે અને સાંધાના માળખાને નષ્ટ કરે છે જેના કારણે સાંધાને ગંભીર નુકસાન થાય છે તેમજ હાડકાં અને ટિશ્યુની આસપાસ રહેલા લિગામેન્ટ્સ અને ટેન્ડન્સને હાનિ પહોંચે છે.

મેટાબોલિક આર્થરાઇટિસ - ગાઉટી આર્થરાઇટિસ જ્યારે શરીરની સામાન્ય મેટાબોલિક પ્રોસેસમાં ફેરફાર થાય અને કેટલીક બ્રેકડાઉન પ્રોડક્ટ્સ જેમકે પ્યુરાઈન્સ સાંધાના પ્રવાહીમાં યુરિક એસિડ સ્વરૂપે જમા થાય અને સાંધામાં સોજો આવે ત્યારે થાય છે. કેટલાક પ્રકારના આહાર જેમ કે રેડ મીટ, કઠોળ, આથો આવેલા અથવા કેનમા રહેલો ખોરાક કે દૂધની પ્રોડક્ટ્સ ના કારણે ગાઉટી આર્થરાઈટીસ થઈ શકે છે.

એકદમ અને ટૂંક સમય ગાળામા લાલાશ આવી જવી, સોજો આવ વો અને પીડા થવી. NSAIDs સ્વેલિંગ અને દવાઓથી આસાનીથી નિયંત્રિત કરી શકાય કે જેમાં યુરિક એસિડનું સ્તર લોહીમાં ઘટાડવામાં આવે છે પરંતુ હુમલાઓને અંકુશિત કરવું કઠિન છે અને તેના માટે લાંબા, સતત સારવાર, જીવનશૈલીમાં તથા આહારમાં ફેરફાર વગેરે જરૂરી છે. દર્દીને આગળ જતા સર્જરીની જરૂર પણ પડી શકે છે.

આર્થરાઇટિસના લક્ષણો પીડા, સોજો, અકડાઈ જવું, લાલાશ, હલનચલન ઓછી કે બંધ થવી, શારીરિક વિકૃતિ, વિકલાંગતા, તાવ, ટેન્ડન્સ ફાટી જવા 

આર્થરાઇટિસ માં શું થાય છે?
સામાન્ય રીતે સાંધા બે કે તેથી વધુ હાડકાંથી બનેલા હોય છે અને લિગામેન્ટ્સ દ્વારા કેપ્સુલ પ્રકારે એકબીજા સાથે જોડાયેલા હોય છે જે હલનચલન કરવામાં મદદ કરે છે. હાડકાંના સાંધાની સપાટી પર કાર્ટિલેજ નામના કઠોર જોડાણમાં મદદરૂપ ટિસ્યુનું આવરણ હોય છે

જ્યારે આર્થરાઈટીસ થાય છે, પ્રથમ તો સાંધામાં જોડાણ માટે ઉપયોગી પ્રવાહીમાં સોજો દેખાય છે જેની સાથે પીડા પણ થાય છે અને સ્પર્શ કરવાથી પીડામાં વધારો થાય છે, જેને ટેન્ડરનેસ (ખૂબ સંવેદનશીલ હોવુ) કહે છે. આ સાંધાના પ્રવાહીમાં આવતા સોજાને લીધે લાલાશ કે અકડાઈ જવાની સમસ્યા થાય છે. સારવાર ન થયે, આગામી તબક્કામાં સોજા/ચેપના કારણે કાર્ટિલેજ, કેપ્સુલ અને અન્ય માળખુ નષ્ટ થવા લાગે છે અને લાંબા સમય સુધી સાર વાર ના મળેલા દર્દીઓ મા આ નુકસાન કાયમી રહી જાય છે અને સાંધાની ગોઠવણીમાં સંપૂર્ણપણે બદલાવ આવે છે. જેના લીધે સાંધા નાશ પામે છે અને દર્દીને અસહ્ય પીડાનો અનુભવ થાય છે તેમજ સાંધામાં વિકૃતિ કે વિકલાંગતા આવે છે.

આર્થરાઇટિસનું નિદાન કઈ રીતે થઇ શકે ?
પ્રારંભિક લક્ષણો જોવા મળે અને એ લક્ષણો 15 દિવસ કે તેથી વધુ સમય સુધી રહે તો દર્દીએ ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. ડોક્ટર તમને રોગના લક્ષણો અને ચિહ્નો તપાસીને માર્ગદર્શન આપશે અને તમારી સમસ્યાના ઈતિહાસ અંગે પૂછશે. આ ઉપરાંત તેઓ દર્દીને કેટલાક ટેસ્ટ જેમકે એક્સ-રે કે બ્લડ રિપોર્ટ્સ કરાવવાનું પણ કહેશે. દર્દીને અન્ય કેટલાક ટેસ્ટ અને અનેકવાર ફોલોઅપ્સ માટે પણ કહેવામાં આવે છે કે જેથી સચોટ નિદાન કરવામાં મદદ મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More