Home> Health
Advertisement
Prev
Next

Soaked Anjeer: હંમેશા ફિટ રહેવું હોય તો રોજ આ રીતે ખાવા 2 અંજીર, બીપી-ડાયાબિટીસમાં પણ થશે ફાયદો

Soaked Anjeer Benefits: શિયાળા દરમિયાન જો તમારે અંજીરના ફાયદા મેળવવા હોય તો રોજ તેને પલાળીને ખાવાનું રાખવું જોઈએ. અંજીરને પલાળીને ખાવાથી તેના લાભ બમણા થઈ જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ શિયાળામાં પલાળેલા અંજીર ખાવાથી થતા લાભ વિશે.

Soaked Anjeer: હંમેશા ફિટ રહેવું હોય તો રોજ આ રીતે ખાવા 2 અંજીર, બીપી-ડાયાબિટીસમાં પણ થશે ફાયદો

Soaked Anjeer Benefits: શિયાળા દરમિયાન જો તમે તંદુરસ્ત રહેવા માટે તમારી ડેઇલી ડાયેટમાં કેટલાક ફેરફાર કરો છો તો તેનાથી આખું વર્ષ તમે ફિટ રહી શકો છો. શિયાળા દરમિયાન ડાયેટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી ઋતુ દરમિયાન થતી બીમારીઓથી પણ બચી જવાય છે અને બીપી, ડાયાબિટીસ જેવી સમસ્યામાં પણ લાભ થાય છે. શિયાળામાં સ્વાસ્થ્યને ફાયદો કરતી વસ્તુઓમાંથી એક છે અંજીર. 

અંજીર એવું ડ્રાયફ્રૂટ છે જેનું સેવન શિયાળા દરમિયાન કરવામાં આવે તો શરીર ફિટ રહે છે. અંજીરમાં વિટામિન એ, પોટેશિયમ, ફાઇબર સહિત ઘણા બધા પોષક તત્વો હોય છે. શિયાળા દરમિયાન જો તમારે અંજીરના ફાયદા મેળવવા હોય તો રોજ તેને પલાળીને ખાવાનું રાખવું જોઈએ. અંજીરને પલાળીને ખાવાથી તેના લાભ બમણા થઈ જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ શિયાળામાં પલાળેલા અંજીર ખાવાથી થતા લાભ વિશે.

આ પણ વાંચો: Garlic and Honey: રોજ સવારે સાદું લસણ નહીં આ ખાસ ઔષધીવાળું લસણ ખાવાથી બીમારી થશે દુર

કબજિયાત

જે લોકોને વર્ષો જૂની કબજિયાત હોય તેમણે રોજ સવારે પલાળેલા અંજીર ખાવા જોઈએ. અંજીરમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે પેટ  સંબંધિત બીમારીઓ દૂર કરે છે ખાસ કરીને કબજિયાત તો તુરંત મટાડે છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પલાળેલું અંજીર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં એવા તત્વો હોય છે જે બ્લડ શુગર લેવલને મેન્ટેન કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Headache: આ 5 ટ્રીકની મદદથી અસહ્ય માથાનો દુખાવો પણ દવા વિના મટી જશે, એકવાર કરી જુઓ ટ

બ્લડ પ્રેશર

બ્લડપ્રેશરના દર્દી માટે પણ પલાળેલા અંજીર ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશર લેવલની મેન્ટેન કરે છે..

હાડકા થશે મજબૂત

પલાળેલા અંજીર ખાવાથી હાડકા મજબૂત થાય છે. અંજીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? જાણીને રોજ ખાવા લાગશો

સ્કીન રહે છે હેલ્ધી

પલાળેલા અંજીર ખાવાથી સ્કીન પણ હેલ્ધી અને ગ્લોઇંગ રહે છે. પલાળેલું અંજીર ખાવાથી સ્કીનને જરૂરી પોષક તત્વો મળે છે અને ત્વચા સંબંધિત બીમારીઓ દૂર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More