Home> Health
Advertisement
Prev
Next

વાસી રોટલીના ફાયદાઓ જાણશો તો તમે ગાય અને કૂતરાને નહીં ખવડાવો, રોટલી ફેંકવાનું નહીં થાય મન

Benefits of stale roti:  ઘઉંના લોટની બનેલી રોટલીઓ ડાઈજેશન માટે સારી હોય છે. એમા પણ તે જ્યારે વાસી બની જાય છે ત્યારે તેના ગુણ વધી જાય છે. આવો તમને જણાવીએ વાસી રોટલીના ફાયદા...

વાસી રોટલીના ફાયદાઓ જાણશો તો તમે ગાય અને કૂતરાને નહીં ખવડાવો, રોટલી ફેંકવાનું નહીં થાય મન

Benefits of stale roti: રોજ રાતે કે દિવસે આપણે ઘણો બધો કંટ્રોલ રાખીએ પણ રોટલી વધતી જ હોય છે. લોકો વધેલી રોટલી ગાય કે કૂતરાને ખવડાવી દેતા હોય છે પણ અમે તમને અહીં વાસી રોટલીના ફાયદાઓ જણાવી રહ્યાં છે. જે જાણીને તમને વાસી રોટલી ફેંકવાનું મન થશે નહીં. મોટાભાગના લોકો વાસી રોટલી ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ જો તમે તેની ફ્રેશનેસ પર ધ્યાન ન આપીને તેના ફાયદા પર ધ્યાન આપશો તો તમને તે ખાવી ગમશે. ઘઉંના લોટની બનેલી રોટલીઓ ડાઈજેશન માટે સારી હોય છે. એમા પણ તે જ્યારે વાસી બની જાય છે ત્યારે તેના ગુણ વધી જાય છે. આવો તમને જણાવીએ વાસી રોટલીના ફાયદા...

આ પણ વાંચો:
ભગવાન શનિની પનોતી ઉતારવી હોય તો કરો આ 11 ઉપાયો, સાડાસાતીમાં પણ મળશે રાહત
રૂપ નહી 'રૂપિયા' મારો પરમેશ્વર, રૂપની 'રાણીઓ' એ રૂપિયાના 'રાજા'ઓ સાથે કર્યા લગ્ન
હવે એજન્ટ વગર બે મિનિટમાં બુક કરો ટ્રેનની ટિકિટ, જાણો પ્રોસેસ

વાસી રોટલી ખાવાથી થાય છે આ 5 ફાયદા

1. ડાયાબિટિસ પર કંટ્રોલ
વાસી રોટલી રોજ દૂધ સાથે ખાવામાં આવે તો ડાયાબિટિસ અને બીપી કંટ્રોલમાં રહે છે. રોટલી વાસી થઈ જતા તેમા લાભકારી બેક્ટેરિયા આવી જાય છે અને ગ્લુકોઝની માત્રા પણ ઓછી હોય છે. 

2 પેટની બીમારીઓ નહીં થાય
વાસી રોટલી  ખાવાથી પેટની બીમારીઓ પણ થશે નહીં. આ સાથે જ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે. 

3 પાચન શક્તિ મજબૂત થાય છે
વાસી રોટલીમાં ફાયબર ભરપૂર હોય છે જેના કારણે ડાઈજેશન સારું રહે છે. તેને રોજ ખાધા બાદ તમારે પેટની સમસ્યાઓ વેઠવી પડશે નહીં. 

4 શરીરનું તાપમાન બેલેન્સ રહેશે
આ રોટલીઓ બોડી ટેમ્પરેચર મેન્ટેઈન કરવામાં મદદગાર સાબિત થાય છે. ખાસ કરીને ગરમીમાં વાસી રોટલી ખાવાથી હીટ સ્ટ્રોક જેવી સમસ્યા નહીં આવે. 

5. દુબળાપણાની સમસ્યા દૂર થશે
બોડીને એનર્જી આપવા માટે પણ વાસી રોટલી ખુબ કામમાં આવે છે. તેનાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે અને દુબળાપણાને દૂર કરવા માટે રાતના સમયની વાસી રોટલી ખાવી સૌથી કારગર ઉપાય માનવામાં આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
શું સ્માર્ટફોનની પણ expiry date હોય છે? તમારે નવો ફોન ક્યારે ખરીદવો જોઈએ?
Aston Martin DB12 લોન્ચ, કિંમત રૂ 4.8 કરોડ; 325kmphની ટોપ સ્પીડ

ખાલી પેટ ભૂલથી પણ ન ખાશો આ 3 વસ્તુઓ, નહીં તો સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More