Home> Health
Advertisement
Prev
Next

શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ

ઉનાળામાં પેટને સ્વસ્થ અને ઠંડુ રાખવા માટે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીં પ્રોબાયોટીક્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે, ઘણી વખત એવું જોવા મળે છે કે દહીં ખાધા પછી લોકોને પિમ્પલ્સ, ત્વચાની એલર્જી અને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ

Side Effects Of Eating Curd: ભારતીય ભોજનમાં દહીંનો ઘણો ઉપયોગ થાય છે. દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં કેલ્શિયમ, વિટામિન B-2, વિટામિન B12,પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.

ઉનાળામાં પેટને સ્વસ્થ અને ઠંડુ રાખવા માટે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીં પ્રોબાયોટીક્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે, ઘણી વખત એવું જોવા મળે છે કે દહીં ખાધા પછી લોકોને પિમ્પલ્સ, ત્વચાની એલર્જી અને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમજ કેટલાક લોકોને દહીં ખાધા પછી શરીરમાં ખૂબ ગરમી લાગે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દહીં સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ અને એ પણ જાણી લો કે તમારે રોજ દહીંનું સેવન કરવું જોઈએ કે નહીં.

પ્રેગનેન્સી માટે સૌથી બેસ્ટ ઉંમર કઇ? સફળ પ્રેગનેન્સી માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી

દહીં ખાધા પછી શરીરમાં કેમ વધે છે ગરમી
બાળપણથી જ આપણે બધા જાણીએ છીએ કે દહીંમાં ઠંડકનો ગુણ હોય છે. પરંતુ આયુર્વેદ મુજબ દહીંનો સ્વાદ ખાટો હોય છે અને તેનો સ્વભાવ ગરમ હોય છે. ઉપરાંત, તે પાચન માટે ખૂબ જ ભારે માનવામાં આવે છે. તે પિત્ત અને કફ દોષમાં ખૂબ ઊંચું છે અને વાત દોષમાં ઓછું છે. તેથી જરૂરી છે કે તમે દહી ખાતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. જો તમે યોગ્ય રીતે દહીંનું સેવન કરો છો, તો તમારે તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન સહન કરવું પડશે નહીં અને ન તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થશે.

શનિદેવને સૌથી પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી
કઈ દીશામાં દીવો પ્રગટાવો છો, વાસ્તુનું ધ્યાન રાખજો નહીં તો મા લક્ષ્મી ઘરથી ભાગશે દૂર
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર

દહીં કેવી રીતે ખાવું?
ઉનાળાની ઋતુમાં રોજ દહીં ખાવાને બદલે છાશનું સેવન કરવું જોઈએ. તમે તેને કાળું મીઠું, કાળા મરી અને જીરું ઉમેરીને પી શકો છો. જ્યારે દહીંમાં પાણી ભેળવવામાં આવે છે, ત્યારે તે દહીંના ગરમ સ્વભાવને સંતુલિત કરે છે. દહીંમાં પાણી ઉમેરવાથી તેની ગરમી ઓછી થાય છે અને ઠંડકની અસર થાય છે.

આ સાથે એ પણ જરૂરી છે કે તમે દહીને ગરમ કર્યા પછી ન ખાઓ. આમ કરવાથી દહીંના તમામ પોષક તત્વો નાશ પામે છે. ઉપરાંત, જો તમે સ્થૂળતા અથવા કફ દોષથી પીડિત હોવ તો દહીંનું સેવન ટાળો. આયુર્વેદ મુજબ દહીંને ફળોમાં મિક્ષ કરીને પણ ન ખાવું જોઈએ. આમ કરવાથી તમારે પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

લોનની ચુકવણી પછી આ સર્ટિફિકેટ લેવું અત્યંત જરૂરી, ભૂલ કરી તો તમારે ફરીથી ચૂકવવી પડશે
બીપીવાળાને થશે બઉં બેનિફિટ : મકાઇના રોટલાના છે જબરદસ્ત ફાયદા, એકવાર જરૂર ટ્રાય કરજો
વિચિત્ર લવ સ્ટોરી: લ્યો બોલો આ બાઈએ ભારે કરી, પતિ તો જોઇએ છે પણ BF ને છોડવો નથી
Relationship: ડેટિંગ એપ્લિકેશન પર 'સેટિંગ' પાડતી યુવતિઓ સાવધાન, વાંચી લેજો આ કિસ્સો

રોજ દહીં ખાવાના ગેરફાયદા
કહેવાય છે કે જો તમારું પાચનતંત્ર નબળું છે તો તમારે રોજ દહીંનું સેવન ન કરવું જોઈએ. જો પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી, તો તમારે દહીં ખાવાથી કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ધ્યાન રાખો કે જ્યારે તમે રોજ એક કપથી વધુ દહીંનું સેવન કરો છો ત્યારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે માત્ર એક કપ દહીં ખાઓ છો, તો તેનાથી તમને નુકસાન નથી થતું.

(આ એક સામાન્ય માહિતી છે. જો તમે દહીં ખાવાથી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ માટે પહેલા ડૉક્ટરનો સંપર્ક કરો.)

કોઇપણ તામજામ વિના આ નાનકડું રમકડું અડધું કરી દેશે તમારું લાઇટ બિલ, જાણો કિંમત
Life Insurance Policy: જીવન વીમામાં રોકાણ કરવાના એક નહી પણ અનેક છે કારણ, જાણો ફાયદા
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More