Home> Health
Advertisement
Prev
Next

તેલના બે ટીપાથી સેક્સ લાઈફ થઈ જશે જિંગાલાલા! પાર્ટનર કહેશે ક્યાંય જવું નથી હવે તો ઘરે જ મજા આવે છે!

તેલના બે ટીપાથી સેક્સ લાઈફ થઈ જશે જિંગાલાલા! પાર્ટનર કહેશે ક્યાંય જવું નથી હવે તો ઘરે જ મજા આવે છે!

નવી દિલ્લીઃ આયુર્વેદમાં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. આવો જ એક આયુર્વેદિક ઉપાય નાભિમાં તેલ રેડવું છે. જો તમે રાત્રે સૂતી વખતે નાભિમાં બે ટીપા તેલ નાખો છો, તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ મજબુત બનશે. પરિણીત પુરુષો માટે આ આયુર્વેદિક ઉપાય આશ્ચર્યજનક છે, જે તેમના જાતીય સ્વાસ્થ્યને સુધારે છે. પુરુષો ઉપરાંત નાભિમાં તેલ રેડવાથી મહિલાઓને પણ ઘણા ફાયદા થાય છે. ચાલો આપણે તેમના વિશે જાણીએ.

રાત્રે નાભિમાં સરસવનું તેલ નાખવું ખૂબ ફાયદાકારક છે. નાભિ આપણા શરીરનું કેન્દ્ર છે, તેને સ્વસ્થ રાખીને, તમે શરીરને સુંદર અને સ્વસ્થ બનાવી શકો છો. જો કે સરસવના તેલ ઉપરાંત તમે નાળિયેર તેલ, ઓલિવ તેલ, લીંબુ તેલ, લીમડાનું તેલ અને બદામનું તેલ પણ વાપરી શકો છો.

પુરુષો માટે નાભિમાં તેલ નાખવાના ફાયદા-
નાભિ આપણા પ્રજનન પ્રણાલી સાથે સંકળાયેલ છે. જો તમારી નાભિમાં ગંદકી અને હાનિકારક બેક્ટેરિયા એકઠું થાય છે, તો પછી પુરુષોનું જાતીય સ્વાસ્થ્ય બગડી શકે છે. આ માટે સૂતી વખતે દરરોજ રાત્રે સરસવના તેલના બે ટીપા નાભિમાં નાખો. સરસવનું તેલ તમારીન નાભિને સાફ કરશે . જેથી તમારી પ્રજનન ક્ષમતા વધશે અને શુક્રાણુઓના કાઉન્ટમાં પણ વધારો થશે...
 
નાભિમાં તેલ નાંખવાના અન્ય કેટલાક ફાયદાઓ-
1- નાભિમાં તેલ નાંખવાથી મહિલાઓને પીરિયડ્સની પીડાથી થોડી રાહત મળે છે.
2-જો તમારા ચહેરા પર ખીલ છે, તો રાત્રે સૂતા પહેલા લીમડાનું તેલ નાભિમાં નાખો.
3-સ્ત્રીઓમાં હોર્મોન્સ સંતુલિત રાખવા માટે નાળિયેર તેલ નાભિમાં નાખવું જોઈએ.
4- પેટમાં દુખાવો, અપચો, ઝાડા વગેરે માટે સરસવનું તેલ નાભિમાં મૂકી શકાય છે.
5-નાભિમાં બદામનું તેલ ઉમેરવાથી ત્વચા પર ગ્લો આવશે
6- નાભિમાં સરસવનું તેલ નાખવાથી ઘૂંટણની પીડામાં રાહત મળે છે.

ઓલિવ ઓઈલ-
ઓલિવ ઓઇલમાં ફેટી એસિડની પર્યાપ્ત માત્રા હોય છે, જે હ્રદય રોગના ખતરાને ઘટાડે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઓલિવ ઓઈલ લાભદાયક છે. શરીરમાં શુગરની માત્રા સંતુલિત રાખવામાં તેની ખાસ ભુમિકા છે. તેથી આહારમાં પણ ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. લાંબા સમય સુધી આહારમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાથી શરીરમાં રહેલી ચરબી ઓટોમેટિક ઘટવા લાગે છે.

લીમડાનું તેલ-
લીમડો પોષક તત્વોથી ભરપુર છે. લીમડાને ગુણોની ખાણ માનવામા આવે છે. લીમડામા એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે અને આ કારણોસર તે ઘણી આરોગ્ય સમસ્યાઓ માટે સારી દવા માનવામા આવે છે. શિયાળામાં લીમડો સ્વાસ્થ્ય માટે એક ઉપચાર માનવામા આવે છે અને તેનુ તેલ મહિલાઓને સ્વસ્થ રાખવામા પણ ખૂબ ઉપયોગી છે.  જો અસ્થમાની સમસ્યા છે તો લીમડાના તેલની વરાળથી ઘણી રાહત મળે છે. આ તેલમા એન્ટી-હિસ્ટામાનિક પ્રકૃતિના તત્વો હોય છે. સાથે-સાથે અસરકારક એન્ટિમાઇક્રોબીયલ ગુણધર્મોને કારણે આ વધુ સારું કાર્ય કરે છે. વરાળ લેવા માટે કડાઈમાં પાણી ગરમ કરો તેમા થોડા ટીપા લીમડાનુ તેલ નાખો. આ પછી તમારા માથા અને ચહેરાને ટુવાલથી ઢાકીને વરાળ લો. આનાથી અસ્થમાના દર્દીઓને મોટી રાહત મળે છે.
 
સરસવનું તેલ-
સરસવના તેલમાં વિટામિન એ, વિટામિન ઈ, પ્રોટીન અને એન્ટિઓક્સિડન્ટ રહેલા હોય છે. આ તત્વો વાળ માટે લાભદાયક છે. વાળના વિકાસ માટે સરસવનું તેલ સારો ભાગ ભજવે છે. આનાથી વાળનો વિકાસ થાય છે અને વાળ ખરવાનું પણ બંધ થાય છે. વાળ માટે સરસવનં તેલ કન્ડિશનર સમાન છે.
 
બદામનું તેલ-
બદામના તેલમાં તમને વિટામિન ઈ, વિટામિન એ, ઝિંક અને ઓમેગા -૩ ફેટી એસિડ્સના તમામ કુદરતી લાભ મળે છે. બદામના તેલ  તમારું મગજ અને હાડકાં મજબૂત બનાવે છે, થાક દૂર કરે છે. આ ઉપરાંત ત્વચાની સંભાળ, વાળની સંભાળ અને રસોઈમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More