Home> Health
Advertisement
Prev
Next

Protein Rich Food: ઈંડા કરતાં વધારે પ્રોટીન હોય છે આ વેજિટેરિયન ફૂડમાં, ખાવાથી લોખંડ જેવું મજબૂત થશે શરીર

Protein Rich Food:જો તમે ઈંડા ન ખાઈ શકતા હોય તો પ્રોટીનની જરૂરિયાત તમે કેટલીક વેજીટેરિયન વસ્તુઓથી પણ પૂરી કરી શકો છો. દૈનિક આહારની એવી કેટલીક વસ્તુઓ છે જેમાં ઈંડા કરતા પણ વધારે પ્રોટીન હોય છે. તેનું સેવન કરવાથી તમે તમારા શરીરને લોખંડ જેવું મજબૂત કરી શકો છો.

Protein Rich Food: ઈંડા કરતાં વધારે પ્રોટીન હોય છે આ વેજિટેરિયન ફૂડમાં, ખાવાથી લોખંડ જેવું મજબૂત થશે શરીર

Protein Rich Food: શરીરને હેલ્થી રાખવા માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે. ખાસ કરીને બોડીને હેલ્થી અને સ્ટ્રોંગ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી હોય છે. આપણા શરીરને તાકાતવર બનાવવામાં પ્રોટીનની મહત્વની ભૂમિકા હોય છે. જો શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો શરીર નબળું રહે છે. સામાન્ય રીતે પ્રોટીનની જરૂરિયાત માટે લોકો ઈંડા ખાવાની સલાહ કરે છે. પરંતુ જો તમે ઈંડા ન ખાઈ શકતા હોય તો પ્રોટીનની જરૂરિયાત તમે કેટલીક વેજીટેરિયન વસ્તુઓથી પણ પૂરી કરી શકો છો. દૈનિક આહારની એવી કેટલીક વસ્તુઓ છે જેમાં ઈંડા કરતા પણ વધારે પ્રોટીન હોય છે. તેનું સેવન કરવાથી તમે તમારા શરીરને લોખંડ જેવું મજબૂત કરી શકો છો.

આ પણ વાંચો: Turmeric water: શિયાળામાં આ સમયે રોજ પીવું હળદરનું પાણી, બીમારી નહીં ફરકે તમારી પાસે

કઠોળ અને દાળ

વેજિટેરિયન લોકો પ્રોટીન માટે ઈંડા ખાઈ શકતા નથી તેવામાં પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે દૈનિક આહારમાં કઠોળ અને દાળનો સમાવેશ કરવો જોઈએ. કઠોળ અને દાળમાં સૌથી વધુ પ્રોટીન હોય છે અને તે શરીરને મજબૂત પણ બનાવે છે.

ગ્રીક યોગર્ટ

જો તમે શરીરને મજબૂત બનાવવા માંગો છો તો ડાયટમાં ગ્રીક યોગર્ટનો પણ સમાવેશ કરો. કારણ કે તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને તે શરીરમાંથી પ્રોટીનની ઉણપને દૂર કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો: Coconut: પ્રેગનેન્સીમાં કાચું નાળિયેર ખાવું લાભકારી, સ્ટ્રેચ માર્ક્સની ચિંતા થશે દુર

મશરૂમ

મશરૂમ પણ એવું શાક છે જે પ્રોટીનનો ખજાનો છે. તેને બાફીને તેનું સેવન કરી શકાય છે. રોજ મશરૂમ ખાવાથી શરીરમાંથી પ્રોટીનની ઉણપ દૂર થાય છે. મશરૂમને તમે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો.

એવોકાડો

જો તમારા શરીરમાં પ્રોટીનની ખામી હોય તો એવોકાડો ખાવું જોઈએ. તેમાં હેલ્થી ફેટ અને પ્રોટીન હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શરીરને મજબૂત કરવા માટે તમે નિયમિત એવોકાડોનું સેવન શરૂ કરી શકો છો.

આ પણ વાંચો: Diabetes ના દર્દીઓ માટે વરદાન છે રસોડાના આ 3 મસાલા, આ રીતે ખાવાથી નહીં વધે બ્લડ સુગર

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More