Home> Health
Advertisement
Prev
Next

Health Tips: વાસી મોઢે પાણી પીવાના આ ફાયદા વિશે જાણશો તો સવારે જાગીને મોબાઈલ નહીં પાણીનો ગ્લાસ હાથમાં લેશો

Health Tips: ઘણા લોકો સવારે જાગીને બ્રશ કર્યા વિના વાસી મોઢે પાણી પીવાનું પસંદ કરે છે. પાણી પીવાની આ આદતને લઈને લોકોના મનમાં પ્રશ્નો હોય છે. ઘણા લોકોને આ આદત સારી નથી લાગતી. તો કેટલાક લોકોને લાગે છે કે વાસી મોઢે પાણી પીવાથી નુકસાન થાય છે...

Health Tips: વાસી મોઢે પાણી પીવાના આ ફાયદા વિશે જાણશો તો સવારે જાગીને મોબાઈલ નહીં પાણીનો ગ્લાસ હાથમાં લેશો
Updated: May 12, 2024, 12:47 PM IST

Health Tips: સ્વસ્થ રહેવું હોય તો દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પાણી પીવાની સાથે પાણી ક્યારે પીવું અને કેટલું પીવું તે પણ મહત્વનું હોય છે. પાણી પીવાને લઈને લોકોની અલગ અલગ આદતો હોય છે. ઘણા લોકો સવારે જાગીને બ્રશ કર્યા વિના વાસી મોઢે પાણી પીવાનું પસંદ કરે છે. પાણી પીવાની આ આદતને લઈને લોકોના મનમાં પ્રશ્નો હોય છે. ઘણા લોકોને આ આદત સારી નથી લાગતી. તો કેટલાક લોકોને લાગે છે કે વાસી મોઢે પાણી પીવાથી નુકસાન થાય છે. તો ચાલો આજે આ શંકાનું સમાધાન કરવા જણાવીએ કે સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. 

બ્રશ કર્યા વિના પાણી પીવાથી થતા ફાયદા 

આ પણ વાંચો: હીટ સ્ટ્રોકની સ્થિતિ સર્જાય તો વ્યક્તિનો જીવ બચાવવા આ રીતે આપો પ્રાથમિક સારવાર

- સવારે જાગીને બ્રશ કર્યા વિના જ પાણી પીવાથી શરીર હાઈડ્રેટ થઈ જાય છે. તેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ઘટી જાય છે. વાસી મોઢે પાણી પીવાથી સ્કીન પર સૌથી વધારે સારી અસર થાય છે. 

- સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે બ્રશ કર્યા પહેલા એક ગ્લાસ પાણી પી લેવાથી ડાયજેશન સિસ્ટમ મજબૂત થાય છે. તેનાથી ઘણી બધી બીમારીઓ દવા વિના જ મટવા લાગે છે. 

- બ્રશ કર્યા વિના વાસી મોઢે પાણી પીવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. જો તમે રોજ એક ગ્લાસ પાણી સવારે જાગીને પીવો છો તો તેનાથી શરદી, ઉધરસ જેવી બીમારીઓથી બચાવ થાય છે. 

આ પણ વાંચો: Diabetes: આ 3 ડ્રાયફ્રુટ ડાયાબિટીસના દર્દી માટે ઝેર સમાન, એક ઝાટકે વધારે બ્લડ સુગર

- સવારે જાગીને વાસી મોઢે બે થી ત્રણ ગ્લાસ પાણી પી લેવાથી સ્કીન અને વાળ પર ખૂબ જ સારી અસર થાય છે. તેનાથી વાળ અને સ્કીનની ચમક વધે છે અને ઓવરઓલ હેલ્થ પણ સુધરે છે. 

- હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ આ આદત તુરંત જ અપનાવી જોઈએ. જો આ બીમારીઓમાં સવારે વાસી મોઢે પાણી પીવામાં આવે તો બંને સમસ્યા કંટ્રોલમાં રહે છે. 

- જે લોકોને મોંમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય તેમણે પણ સવારે જાગીને હૂંફાળું પાણી પીવું જોઈએ. રાત્રે સૂતી વખતે મોઢામાં લાળ બનતી નથી જેના કારણે બેક્ટેરિયા વધે છે અને વાસ આવે છે. તેવામાં જો સવારે હુંફાળું પાણી પીવામાં આવે તો આ સમસ્યા સમાપ્ત થઈ જાય છે.

આ પણ વાંચો: Constipation: કબજિયાતનો રામબાણ ઈલાજ છે આ 5 વસ્તુ, રાત્રે ખાવ અને સવારે પેટ સાફ

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે