Home> Health
Advertisement
Prev
Next

શું તમને પણ ઘૂંટણની સમસ્યાથી પરેશાન છો? આહારમાં લેવાની શરૂ કરી દો આ 5 વસ્તુઓ

knee pain relief: ઘણાં લોકોને પગમાં દુખાવાની ફરિયાદ હોય છે. ઢગલાં બંધ ડોક્ટરોને બતાવવા છતાંય નથી થતું તકલીફનું નિવારણ. તો તમે આ ઘરગથ્થું ઉપાયને અજમાવી શકો છો.

શું તમને પણ ઘૂંટણની સમસ્યાથી પરેશાન છો? આહારમાં લેવાની શરૂ કરી દો આ 5 વસ્તુઓ
Updated: Aug 06, 2023, 06:12 PM IST

knee pain: હાલના આધુનિક જમાનામાં કેટલીક બેદરકારીઓને કારણે વૃદ્ધ વય તો ઠીક પરંતુ યુવા વયમાં પણ ઘણા લોકોને પેટમાં, હાથમાં, પગમાં દુખાવો થતો હોય છે. મોટા ભાગે શરીરના અંગોમાં દુખાવાની ફરિયાદ લોકો 40ની ઉંમર બાદ કરતા હોય છે. પરંતુ આજના યુવાઓમાં આજે પહેલાના કરતા વધુ આળસ આવી ગઈ હોય તેવું લાગે છે. લોકો બહારી ગેમ્સ ન રમતા હોવાથી તેમના પગનો ઉપયોગ થતો નથી. 

Back Pain ની બૂમો પાડ્યા વિના કરો આ 6 કામ, નવો રૂપિયો ખર્ચ્યા વિના થશે આરામ
વર્ષો જૂના Back Pain કહી દો ટાટા-બાય બાય, ડેલી ડાયેટ શરૂ કરો આ 5 વસ્તુઓ

મોબાઈલ અને કોમ્પ્યુટરમાં ગેમ્સ રમવાને કારણે યુવાઓનું જીવન એક રીતે બેઠાળું થઈ ગયું છે. બસ આજ કારણે નાનપણમાં પગના ઘુંટણમાં દુખાવો થતો હોય છે. ઘણીવાર પોષણયુક્ત આહાર પણ ન લેવાને કારણે પગના ઘુંટણમાં દુખાવો થતો હોય છે. આવો જાણીએ કે પગના ઘુંટણમાં દુખાવાથી રાહત મેળવવા લોકોએ તેમના આહારમાં શું શું લેવું જોઈએ.

ઘરમાં વપરાતા મચ્છર મારવાના આ મશીનની આડઅસર જાણશો તો ઘરની ઘા કરી દેશો, જાણો નુકસાન
Shukrawar Upay: આજે સૂર્યાસ્ત થતાં જ કરી લો આ કામ, લક્ષ્મીજી કૃપાથી બદલાશે તકદીર
હોમિયોપેથિક દવા લેવાની સાચી રીત કઈ છે?જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો નહી થાય કોઇ ફાયદો

કેમ થાય છે પગમાં દુખાવો-
જો તમારા શરીરમાં કેલ્શિયમ અથવા પ્રોટીનની કમી છે તો તમને ઘુંટણમાં દુખાવાની સંભાવના વધી જાય છે. ઘણીવાર દુખાવાને કારણે સોજો પણ આવી શકે છે. તેવામાં તમારે રોજના આહારમાં આ 5 વસ્તુઓ ઉમેરવી જોઈએ. આવો જાણીએ.

Shukrawar Upay: આજે સૂર્યાસ્ત થતાં જ કરી લો આ કામ, લક્ષ્મીજી કૃપાથી બદલાશે તકદીર
હોમિયોપેથિક દવા લેવાની સાચી રીત કઈ છે?જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો નહી થાય કોઇ ફાયદો

1) નટ્સ-
આરોગ્ય નિષ્ણાંત મોટા ભાગે નટ્સ ખાવાની સલાહ આપે છે કારણ કે આમાં વિટામીન અને પ્રોટીનની માત્રા વધુ હોય છે. નટ્સ ખાવાથી હાડકા મજબુત બને છે તેમજ ઘુંટણનો દુખાવો રહેતો નથી.

2) લીલા પાંદળાવાળા શાક-
કોબી અને બ્રોકોલી જેવા પાંદળાવાળા શાક ખાવાથી શરીરમાં સોજો પેદા કરતા એન્ઝાઈમ્સ ઘટે છે. રોજના આહારમાં લીલા શાકભાજીને ઉમેરવાથી હાડકા મજબુત રહે છે.

શું તમે પણ કલાકો સુધી જુઓ છો રીલ્સ? સુધરી જજો..નહીતર થશે આ ગંભીર બિમારીઓ
શરૂ થયો 3 રાશિવાળાનો સારો સમય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન આપશે અઢળક ધન-સંપત્તિ

3) દૂધ-
દૂધ અને તેના તમામ પ્રોડક્ટ્સમાં વિટામીન-ડી અને કેલ્શિયમની ભરપુર માત્રા હોય છે. જે હાડકાને મજબુત બનાવે છે. દૂધમાં વધુ ફેટ ન હોવું જોઈએ. જો ફેટ વધુ હશે તો શરીરનો વજન પણ વધી શકે છે.

4) ફળ-
કેટલાક ફળો ઘુંટણના દુખાવાને ઠીક કરવામાં કારગર સાબિત થાય છે. આ ફળોમાં સંતરા, સ્ટ્રોબેરી અને ચેરી સામેલ છે. આ ફળોમાં વિટામીન-સી અને લાઈકોપીન જેવા પોષણ હોય છે જે સોજાને ઓછા કરે છે.

Gold Astrology: સોનું પહેરવાનો શોખ હોય તો જાણી લેજો! કોના માટે છે શુભ કોના માટે અશુભ
Chanakya Niti: આ ત્રિપુટીનો સાથ મળી ગયો તો સમજો બેડો થઇ ગયો પાર, સફળતા તમારી પગ ચૂમશે

5) આદૂ અને હળદર-
આદૂ અને હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આજ કારણે આ મસાલાનો ઉપયોગ સદીઓથી ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. ઘુંટણમાં દુખાવો હોય તો આ 2 વસ્તુને તમારા આહારમાં સામેલ કરો. આદૂ અને હળદરનો ઉકાળો પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)

પરવળ એવી સબ્જી જે બ્લડ પ્યૂરીફાઇ કરે છે, પરંતુ તેને ખાવાથી થાય છે આ નુકસાન
ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે