Home> Health
Advertisement
Prev
Next

દેશી ઇલાજ: શરદી-ખાંસી દુર કરવાનો રામબાણ ઈલાજ, 1 જ દિવસમાં થઇ જશે ગાયબ

Home remedies: શરદી, ઉધરસમાં દવા કરતાં ઝડપી રાહત દેશી ઈલાજ આપે છે. આજે તમને આવા જ ઘરગથ્થુ ઉપચાર જણાવીએ જેને કરીને તમને શરદી-ઉધરસથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.
 

દેશી ઇલાજ: શરદી-ખાંસી દુર કરવાનો રામબાણ ઈલાજ, 1 જ દિવસમાં થઇ જશે ગાયબ

Cough And Cold: શિયાળાની ઋતુમાં શરદી ઉધરસની સમસ્યા સામાન્ય થઈ જાય છે. આમ તો ઉધરસ અને શરદી કોઈપણ ઋતુમાં થઈ શકે છે પરંતુ શિયાળીની શરૂઆત અને પ્રદૂષણમાં તેનું પ્રમાણ વધી જાય છે. જો કે આવી સમસ્યાઓ માટે દરેક વખતે ડોક્ટર પાસે જવું જરૂરી નથી. કારણ કે તેની દવા આપણા રસોડામાં જ હાજર છે. શરદી, ઉધરસમાં દવા કરતાં ઝડપી રાહત દેશી ઈલાજ આપે છે. આજે તમને આવા જ ઘરગથ્થુ ઉપચાર જણાવીએ જેને કરીને તમને શરદી-ઉધરસથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.

હાડકાંને લોખંડની માફક બનાવવા છે મજબૂત, તો ડાયટમાં સામેલ કરો આ 5 હેલ્ધી ફૂડ
Mosambi Juice Benefits: સ્વાસ્થ્ય માટે ચમત્કારી છે મોસંબીનો જ્યૂસ, ડાયાબિટીઝ સહિત દૂર થશે આ 6 બિમારીઓ

આદુ અને મીઠું
જો તમને ઉધરસ થઈ હોય તો આદુના નાના નાના ટુકડા કરી તેના ઉપર થોડું નમક છાંટીને પોતાના મોઢામાં રાખી અને ધીરે ધીરે ચાવો. ધીરે ધીરે આદુના રસને ગળેથી ઉતારતા રહો આમ કરવાથી પાંચથી દસ મિનિટમાં જ તમને ઉધરસ થી રાહત મળી જશે.

Pumpkin Seeds: કોળાના બીજને હળવાશથી ન લો! યાદશક્તિ થશે કોમ્યુટર કરતાં પણ ફાસ્ટ
Blackheads Home Remedies: ચહેરા પર જામેલા બ્લેક હેડ્સ દૂર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા

મરી અને મધ
શરદી-ઉધરસથી છુટકારો મેળવવા માટે મરી અને મધ પણ ખૂબ જ ઉપયોગી છે. દવા કર્યા છતાં પણ તમને ઉધરસ મટતી ન હોય તો ચાર પાંચ મરીના દાણાને પીસી તેના પાવડરમાં થોડું મધ ઉમેરીને તેને ચાટી જવું. દિવસમાં બેથી ત્રણ વખત આવું કરવાથી ઉધરસ મટી જાય છે.

Healthy Diet: ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે, આ લીલા પાંદડાના ફાયદા જાણશો થઇ જશો આશ્ચર્યચકિત
Coriander Water Benefits: સવારે ખાલી પેટ પીવો આ પાણી, મળશે 7 મોટા ફાયદા

આદુ અને મધ
શરદી-ઉધરસથી આદુ અને મધ તુરંત જ રાહત અપાવે છે. આદુનો રસ કાઢી તેમાં મધ અને મુલેઠી પાઉડર ઉમેરીને તેનું સેવન કરવું. આ દેશી ઉપચાર કરવાથી શરદી-ઉધરસ તુરંત મટે છે અને સાથે જ ઇમ્યુનિટી પણ સુધરે છે.

ગાડી-બંગલાના સપના પુરૂ કરશે આ ગોચર, આ રાશિઓને પ્રાપ્ત થશે ધન-દોલત વૈભવ વિલાસ
કાશ્મીરમાં કુદરતે પાથરી 'લાલ જાજમ', તસવીરો જોશો તો સમજી જશો કેમ કહેવાય છે સ્વર્ગ

ગરમ પાણી અને મધ
જો ગળામાં દુખાવો થતો હોય તો હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ ઉમેરીને તેને પીવાનું રાખો. આમ કરવાથી ગળાનો દુખાવો પણ મટશે અને ઉધરસ પણ મટી જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More