Home> Health
Advertisement
Prev
Next

Health Tips: પેટમાં ગરબડ છે? તો આ Yellow Friut ખાઈ લો, સમસ્યા ચપટીમાં થઈ જશે દૂર

Papaya Benefits: પપૈયું એક એવું ફળ છે, જે પેટ સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે. એટલું જ નહીં, તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. પીળા રંગનું આ ફળ અનેક ગુણોથી ભરેલું છે દરેક વ્યક્તિએ તેના 5 ફાયદા જરુર જાણવા જોઈએ.

Health Tips: પેટમાં ગરબડ છે? તો આ Yellow Friut ખાઈ લો, સમસ્યા ચપટીમાં થઈ જશે દૂર

Papaya Benefits : જો તમે ઉનાળાની ઋતુમાં પેટની સમસ્યાથી પરેશાન છો, તો પપૈયુ ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે ખૂબ જ સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ છે. તેના સેવનથી પેટના રોગો દૂર થાય છે. ફાઈબરથી ભરપૂર આ ફળમાં અન્ય ઘણા પોષક તત્વો પણ હોય છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને જડમૂળથી દૂર કરે છે. આવો જાણીએ પપૈયા ખાવાના 5 અદ્ભુત ફાયદાઓ...
 
હાર્ટ ડીસીઝ
આજકાલ ખરાબ ખોરાકને કારણે હૃદયરોગનો ખતરો વધી ગયો છે. જો તમે તમારા હૃદયને આનાથી બચાવવા માંગતા હોવ તો તમારે પપૈયું ખાવું જોઈએ. તે એન્ટી-ઓક્સીડેન્ટનો ખજાનો છે. તેમાં વિટામીન A, C અને વિટામીન E પણ ભરપૂર માત્રામાં હોય છે. અનેક પોષક તત્વોને કારણે તેના સેવનથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે. 

આ પણ વાંયો:
લોન્ચ થઈ મોસ્ટ પાવરફુલ Sport Bike! કિંમત છે 42 લાખ રૂપિયા, ડિઝાઇન પણ છે દમદાર
શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે? આજે જ ઘરે બેઠા કરો અરજી
Upcoming: આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે Jimny, Exter, Elevate સહિત આ 8 નવી SUV

fallbacks
 
ડાઈજેશન
પાકેલું પપૈયું પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. ફાઈબરથી ભરપૂર આ ફળમાં બે એન્ઝાઇમ પેપેઈન અને સાયમોપેઈન જોવા મળે છે. બંને ઉત્સેચકો પ્રોટીનનું પાચન કરે છે. તેથી, તેઓ પાચનમાં સુધારો કરે છે અને બળતરા ઘટાડવાનું કામ કરે છે.
 
અર્થરાઈટીસ
સાંધાની સમસ્યા અને આર્થરાઈટિસમાં પણ પપૈયું અસરકારક સાબિત થઈ શકે છે. તેના પેપેઈન અને સાયમોપેપેઈન એન્ઝાઇમ બળતરા ઘટાડવાનું કામ કરે છે. જેના કારણે અર્થરાઈટીસની તીવ્ર પીડા અને બળતરા ઓછા થઈ શકે છે.
 
પ્રોસ્ટેટ કેન્સર
પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં જોવા મળતો એક ગંભીર રોગ છે. તેના ઉપયોગથી પ્રોસ્ટેટ કેન્સરને રોકી શકાય છે. આ ફળમાં લાઇકોપીન જોવા મળે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વધુ લાઇકોપીન પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડે છે. 

ઈમ્યુન સીસ્ટમ
પપૈયું શરીરને રોગોથી દૂર રાખવાનું કામ કરે છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થઈ શકે છે. તેમાં વિટામિન સી મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જેના કારણે શરીર અનેક રોગોથી દૂર રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંયો:
ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ
Highest Paid OTT એક્ટ્રેસ કોણ? સુષ્મિતા, સામન્થા અને ગૌહર ટોપ 5 માં સામેલ
High Paying Jobs : આ છે ટોપ 5 હાઈએસ્ટ પેઈંગ વર્ક ફ્રોમ હોમ જોબ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More