Home> Health
Advertisement
Prev
Next

શેકેલા ચણા સાથે ગોળ સહિત આ 5 વસ્તુઓ ખાવાની ભૂલ ભારે પડી શકે છે, પેટની ફરી જશે પથારી

શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેને શેકેલા ચણા સાથે ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જો તમે પણ શેકેલા ચણા ખાઓ છો તો આ 5 વસ્તુઓનું ધ્યાન રાખો અને ભૂલથી પણ એકસાથે ન ખાઓ, નહીં તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

શેકેલા ચણા સાથે ગોળ સહિત આ 5 વસ્તુઓ ખાવાની ભૂલ ભારે પડી શકે છે, પેટની ફરી જશે પથારી

Roasted Gram Side Effects: શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, ફાઈબર અને ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને લાંબા સમય સુધી ભૂખને નિયંત્રિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેને શેકેલા ચણા સાથે ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જો તમે પણ શેકેલા ચણા ખાઓ છો તો આ 5 વસ્તુઓનું ધ્યાન રાખો અને ભૂલથી પણ એકસાથે ન ખાઓ, નહીં તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

દૂધ-
શેકેલા ચણા અને દૂધ એક સાથે ખાવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. આ બંને વસ્તુઓની પ્રકૃતિ અલગ-અલગ છે, જેના કારણે ગેસ, એસિડિટી અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી બંનેનું એકસાથે સેવન કરવાનું ટાળો.

દહીં-
દહીં અને શેકેલા ચણા એક સાથે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. દહીં પ્રકૃતિમાં ઠંડું છે, જ્યારે ચણા ગરમ છે, જે પેટમાં અસંતુલન પેદા કરી શકે છે અને પેટ ફૂલવું અથવા ઝાડા જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે.

ખાટા ફળો-
ખાટા ફળો જેવા કે નારંગી, લીંબુ અથવા અન્ય સાઇટ્રસ ફળો શેકેલા ચણા સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે. સાઇટ્રસ ફળોમાં હાજર એસિડ અને ચણાના પ્રોટીનની પ્રતિક્રિયા પેટમાં બળતરા અને એસિડિટીનું કારણ બની શકે છે.

ગોળ-
જો કે શેકેલા ચણા અને ગોળ બંને સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે, પરંતુ તેને એકસાથે ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. તેનું એકસાથે સેવન કરવાથી ગેસ, પેટમાં ભારેપણું અને અપચો થઈ શકે છે.

માછલી-
માછલી અને શેકેલા ચણા એકસાથે ખાવાથી પણ પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. માછલી અને ચણા બંનેમાં મોટી માત્રામાં પ્રોટીન હોય છે, જેને સાથે ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. તો આ સાથે જ શેકેલા ચણા ખાવાના ફાયદા પણ જાણી લો...

શેકેલા ચણા ખાવાના ફાયદાઃ
1. શેકેલા ચણાથી પાચનતંત્રને ચણા દ્વારા મજબૂત બનાવી શકાય છે, એટલું જ નહીં, તે ઇમ્યુનિટીને મજબૂત કરવામાં પણ મદદ કરી શકે છે.
2. શેકેલા ચણા ખાવા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શેકેલા ચણાથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. 
3. શેકેલા ચણામાં વિટામિનની સાથે કાર્બોહાઈડ્રેટ, ભેજ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે.
4. એનિમિયાના દર્દીઓ માટે ચણાનું સેવન ખૂબ ફાયદાકારક છે. 
5. હાડકાં મજબૂત બનાવવા માટે શેકેલા ચણા અચુકથી ખાવા.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More