Home> Health
Advertisement
Prev
Next

Pomegranate: એક નહીં 6 બીમારીઓમાં ફાયદો કરે છે દાડમ, જાણીને રોજ ખાશો આ લાલ દાણા

Pomegranate: દાડમ એવું ફળ છે ઘણા સ્વાસ્થ્ય લાભ કરે છે. મોટાભાગના લોકો માને છે કે આ લાલ ફળ ખાવાથી રક્ત વધે છે. પરંતુ ફક્ત રક્ત વધારવામાં નહીં પણ અન્ય 6 સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ દાડમ અસરકારક છે. આજે તમને આ ફાયદાઓ વિશે જણાવીએ.

Pomegranate: એક નહીં 6 બીમારીઓમાં ફાયદો કરે છે દાડમ, જાણીને રોજ ખાશો આ લાલ દાણા

Pomegranate: દાડમ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. દાડમ લાલ રંગનું રસદાર ફળ છે. સ્વાદમાં મીઠું આ ફળ શરીરને પોષણ આપે છે. સાથે જ ઘણી બીમારીઓને દુર કરવામાં મદદ કરે છે. મોટાભાગે લોકો એવું માને છે કે દાડમ રક્તની ઊણપની સમસ્યામાં ઉપયોગી છે. પરંતુ દાડમથી આ એક લાભ નહીં પણ 6 સૌથી મોટા લાભ થાય છે. દાડમથી થતા આ લાભ વિશે જાણી તમે પણ આ ફળ રોજ ખાવા લાગશો.

આ પણ વાંચો: Kidney Stone: કિડનીમાં પથરી વધારે છે આ 5 શાકભાજી, ખાતા હોય તો આજથી કરી દેજો બંધ

હાર્ટ રહેશે હેલ્ધી

દાડમ એન્ટી ઓક્ટીડન્ટથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી હાર્ટ પ્રોબ્લેમ થવાનું જોખમ ઘટે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.  દાડમ હાઈ બ્લડ પ્રેશરને પણ ઘટાડે છે. 

કેન્સર સામે લડશે

દાડમમાં એવા એન્ટી ઓક્સીડન્ટ્સ હોય છે જે કેન્સર કોશિકાઓના વિકાસને રોકવામાં મદદ કરે છે. ખાસ કરીને પ્રોસ્ટેટ અને સ્તન કેન્સર જેવી બીમારીઓ સામે લડવામાં તે પ્રભાવી છે. 

આ પણ વાંચો: વરિયાળી ખાઈને વધેલા બ્લડ શુગરને કરો કંટ્રોલ, ડાયાબિટીસ હોય તેણે આ રીતે કરવો ઉપયોગ

પાચન રહેશે સારું

દાડમમાં ફાઈબર હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાતથી રાહત મળે છે અને પાચન ક્રિયા સુધરે છે. 

ત્વચા માટે લાભકારી

દાડમમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી વધતી ઉંમરના લક્ષણો ત્વચા પર દેખાતા નથી. અને ત્વચા ચમકદાર બને છે. 

આ પણ વાંચો: Knee Pain: ઘરમાં રહેલી આ 4 વસ્તુઓથી ઘૂંટણનો દુખાવો 1 અઠવાડિયામાં મટી જશે

સાંધાના દુખાવા

દાડમમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવા અને સોજાને દુર કરે છે. ખાસ કરીને ગઠીયા જેવી બીમારીમાં દાડમ ફાયદો કરે છે. 

રોગપ્રતિકારક શક્તિ વધે

દાડમમાં વિટામિન સી અને અન્ય પોષતતત્વો હોય છે જે ઈમ્યૂનિટીને બુસ્ટ કરે છે. તેનાથી વિવિધ બીમારીઓનું સંક્રમણ થતું અટકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More