Home> Health
Advertisement
Prev
Next

ડાયાબિટીસ સહિત 4 બીમારીઓમાં આ રીતે ખાવી 'ફણગાવેલી મેથી', દવા વિના સ્વાસ્થ્યમાં થવા લાગશે સુધારો

Sprouted Fenugreek: ફણગાવેલા કઠોળની જેમ ફણગાવેલી મેથી પણ શરીર માટે ફાયદાકારક છે. લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે મેથી ફક્ત ડાયાબિટીસના દર્દીઓએ જ ખાવી જોઈએ. ફણગાવેલી મેથી શરીર હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, કબજિયાત અને અમિયમિત માસિકમાં પણ દવા જેવું કામ કરે છે.

ડાયાબિટીસ સહિત 4 બીમારીઓમાં આ રીતે ખાવી 'ફણગાવેલી મેથી', દવા વિના સ્વાસ્થ્યમાં થવા લાગશે સુધારો

Sprouted Fenugreek: મેથીનું નામ આવે એટલે મનમાં સૌથી પહેલો વિચાર આવે ડાયાબિટીસની બીમારી. પરંતુ માત્ર ડાયાબિટીસની બીમારીમાં મેથી ફાયદો કરે છે તેવું નથી. મેથી ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. મેથી પ્રોટીન ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેમાં પણ જો તમે ફણગાવેલી મેથીનો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરને મહત્વપૂર્ણ પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળે છે. આ પોષક તત્વો ડાયાબિટીસ ઉપરાંત અન્ય ચાર બીમારીઓમાં પણ દવા જેવું કામ કરે છે. તો ચાલો તમને વિસ્તારથી જણાવીએ ફણગાવેલી મેથી ડાયાબિટીસ સિવાય કયા કયા રોગમાં ખાવાથી ફાયદો થાય છે.

ફણગાવેલી મેથી ખાવાના ફાયદા

આ પણ વાંચો:

રોજ સવારે આ રીતે કિશમિશ ખાવાનું રાખો, 30 દિવસમાં વધી જશે હિમોગ્લોબિન લેવલ

શું તમે પણ વાયરસ શરદી-ઉધરસથી છો? તો આ 2 મસાલાની ચા બનાવી પીવાથી તુરંત મળશે રાહત

Migraine Pain: અચાનક માઈગ્રેન ટ્રિગર થાય તો આ કરો આ કામ, દુખાવાથી તુરંત મળશે રાહત

હાઈ કોલેસ્ટ્રોલ ઘટે છે

ફણગાવેલી મેથી ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે રોજ ફણગાવેલી મેથીનું સેવન કરવાથી હાઈ કોલેસ્ટ્રોલ લેવલ ઘટી શકે છે. ફણગાવેલી મેથી ખાવાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે. ફણગાવેલી મેથી ખાવાથી બ્લડવેન્સમાં થતું બ્લોકેજ અટકે છે.

હાઈ બીપી રહે છે કંટ્રોલમાં

ફણગાવેલી મેથીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર મેનેજ કરવામાં મદદ મળે છે. ફણગાવેલી મેથી સોડિયમના સ્તરને નિયંત્રિત કરે છે અને તેના કારણે હૃદયની ગતિ તેમજ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલા એક્સિડન્ટ બ્લડ વેસલ્સ ને હેલ્ધી રાખે છે.

માસિક થાય છે નિયમિત

જે મહિલાઓને અનિયમિત માસિકની ફરિયાદ હોય તેમણે અંકુરિત મેથીનું સેવન કરવું જોઈએ. ફણગાવેલી મેથી ખાવાથી પીએમએસ ના લક્ષણો પણ ઘટે છે અને બ્લોટીંગ ની તકલીફ પણ મટે છે. ફણગાવેલી મેથી ખાવાથી માસિક નિયમિત થાય છે અને મૂડ સ્વિંગ પણ કંટ્રોલમાં રહે છે.

આ પણ વાંચો:

દરેક વ્યક્તિ માટે લાભકારી નથી હળદરવાળું દૂધ, આ 3 બીમારીમાં પીશો તો તબિયત લથડી જશે

સફરજનના આ 2 તત્વ તબિયત કરી શકે છે ખરાબ, જાણો એક દિવસમાં કેટલા સફરજન ખાવા સેફ

કબજિયાતથી મળે છે રાહત

લાંબા સમય સુધી કબજિયાતની તકલીફ રહે તો હરસ, ભગંદર જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે નિયમિત ફણગાવેલી મેથી ખાવી જોઈએ તેનાથી ડાયજેશન સારી રીતે થાય છે અને કબજિયાત પણ મટે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More