Home> Health
Advertisement
Prev
Next

Curry Leaves: લીમડાનું પાણી છે ઔષધી, શરીરને ડિટોક્સ કરી આ 6 સમસ્યા કરે છે દુર

Curry Leaves Water Benefits: વધારે વજન, નબળું પાચન, સ્ટ્રેસ સહિતની સમસ્યાથી બચવું હોય તો રોજ સવારે લીમડાના પાનનું પાણી પીવાનું રાખો. નિયમિત રીતે તેનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થાય છે. એટલે કે શરીરમાં જામેલી ગંદકીઓ દુર થવા લાગે છે. 

Curry Leaves: લીમડાનું પાણી છે ઔષધી, શરીરને ડિટોક્સ કરી આ 6 સમસ્યા કરે છે દુર
Updated: Oct 05, 2023, 02:56 PM IST

Curry Leaves Water Benefits: ઘણા લોકોને આદત હોય છે કે સવારે પેટભરીને નાસ્તો કરે, બપોરે ફુલ પેટ જમે અને રાત્રે પણ હેવી ડીનર કરે. જ્યારે દિવસ દરમિયાન આ રીતે ડાયટ લેવામાં આવે તો ધીરે ધીરે તેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. ખાસ કરીને વજન વધવા લાગે છે, કિડની અને લીવરના ફંકશનમાં સમસ્યાઓ થાય છે. 

આ બધી જ સમસ્યાથી બચવું હોય તો તેના માટે બેસ્ટ છે કે તમે દિવસ દરમિયાન એવી વસ્તુનું સેવન કરો જો શરીરમાં વર્ષોથી જમા થયેલી ગંદકીને ધીરેધીરે શરીરમાંથી બહાર કરી દે. આ કામ લીમડાનું પાણી સારી રીતે કરી શકે છે. લીમડાનું પાણી એક હેલ્ધી ડ્રિંક છે જે શરીરને ડિટોક્સ કરી અને શરીરને એનર્જી આપે છે. લીમડાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. આજે તમને જણાવીએ લીમડાનું પાણી પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. 

આ પણ વાંચો:

Health Tips: આ ઘરગથ્થુ નુસખાની મદદથી પાચન સંબંધિત સમસ્યાથી તુરંત મળશે મુક્તિ

હાર્ટ પ્રોબ્લેમ સહિતની 6 ગંભીર સમસ્યાથી બચાવશે ડુંગળી, ફાયદા જાણીને રોજ ખાવા લાગશો

બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે રસોડાના આ 4 મસાલા, ડાયાબિટીસમાં આ રીતે કરો ઉપયોગ

રોગપ્રતિકારક શક્તિ વધે છે

સવારે વહેલા ઉઠીને લીમડાના પાનનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લીમડાના પાન એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપુર હોય છે. જે તમને બીમાર પડવાથી બચાવે છે. લીમડાના પાનનું પાણી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

મોર્નિંગ સિકનેસ દુર થાય છે

સવારે ખાલી પેટે લીમડાના પાનનું પાણી પીવાથી મોર્નિંગ સિકનેસથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. આ પાણી પીવાથી સવારે ખાલી પેટ થતી ઉલ્ટી અને ઉબકાની સમસ્યાથી રાહત મળે છે. તમે સવારે ખાલી લીમડાના પાનના રસમાં ખાંડ અને લીંબુ મિક્સ કરીને પી શકો છો.

સ્ટ્રેસ ઓછો થાય છે

લીમડાના પાન શરીરના સ્નાયુઓ અને મગજને આરામ કરવામાં અને સ્ટ્રેસ દુર કરવામાં મદદ કરે છે. સવારે એક ગ્લાસ લીમડાના પાનનું પાણી પીવાથી શરીરનો સ્ટ્રેસ ઓછો થઈ જાય છે.

આ પણ વાંચો:

જમ્યા પછી 10 મિનિટ વોક કરવાથી હાર્ટ એટેક સહિત આ 5 બીમારીથી મળશે છૂટકારો

લગ્નની પહેલી રાત્રે શા માટે પીવામાં આવે છે કેસરવાળું દૂધ ? આ છે તેનું સાચું કારણ

દવાથી પણ મટતી ન હોય ઉધરસ તો રસોડાની આ વસ્તુઓનો ઉપયોગ કરો, તુરંત દિવસમાં દેખાશે અસર

પાચન સુધારે છે

દરરોજ સવારે ખાલી પેટ મીઠા લીમડાના પાનનું પાણી પીવું પાચનક્રિયાને સુધારે છે. લીમડાના પાનમાં એવા તત્વો હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

વજન ઘટે છે

સવારે ખાલી પેટ લીમડાના પાનનું પાણી પીવાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે. લીમડાનો રસ કાઢી તેમાં પાણી ઉમેરી એક ડ્રિંક તૈયાર કરો જેને કસરત કર્યા પછી પીવાનું રાખો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે