Home> Health
Advertisement
Prev
Next

Health Tips: આ લીલા પાન પાણીમાં ઉકાળીને પીવાથી શરીરની આ સમસ્યાઓ દવા વિના થશે દુર

Curry Leaves Benefits: મીઠો લીમડો રસોઈનો સ્વાદ વધારવાની સાથે તમારું સ્વાસ્થ્ય સુધારી પણ શકે છે. મીઠા લીમડાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તે સ્વાસ્થ્ય માટે ગંભીર ગણાતી સમસ્યાઓ જેમકે બ્લડ સુગર, હાર્ટ પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલ, વધારે વજન જેવી સમસ્યાઓને દુર કરે છે. તો ચાલો ફટાફટ જાણી લો કે દવા તરીકે મીઠા લીમડાનો ઉપયોગ કેવી રીતે કરવો.

Health Tips: આ લીલા પાન પાણીમાં ઉકાળીને પીવાથી શરીરની આ સમસ્યાઓ દવા વિના થશે દુર
Updated: Aug 07, 2023, 07:40 AM IST

Curry Leaves Benefits: દરેક ઘરના રસોડામાં લીમડાના પાન ચોક્કસથી તમને મળશે. મોટાભાગની વાનગીઓમાં લીમડાનો ઉપયોગ થતો જ હોય છે. ઘણા ઘરમાં તો લીમડાનું ઝાડ ઉગાડી લેવામાં આવે છે જેથી રસોઈમાં તાજા લીમડાનો ઉપયોગ થાય. ખાસ કરીને સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં તો લીમડાના પાન ખૂબ જ જરૂરી હોય છે. લીમડાના પાન વાનગીના સ્વાદને વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે લીમડાના પાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી શરીરની ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દવા વિના દૂર થઈ જાય છે? જો નથી જાણતા તો ચાલો તમને આજે જણાવીએ લીમડાના પાનનો આવો જ એક ચમત્કારી ઉપયોગ.

લીમડાના પાનને પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી શરીરને અઢળક લાભ થાય છે. આ પાણી નિયમિત પીવાનું રાખશો તો શરીરમાં તમને તુરંત તેની અસર દેખાવા લાગશે. તો ચાલુ તમને જણાવીએ લીમડાના પાન પાણીમાં ઉકાળીને પીવાથી શું ફાયદો થાય છે.

આ પણ વાંચો:

Kidney Stone ની તકલીફમાં દર્દીએ ન ખાવી આ 5 વસ્તુઓ, ખાશો તો દોડવું પડશે હોસ્પિટલ

નિયમિત રહેતો હોય માથાનો દુખાવો તો રાત્રે 10 મિનિટ કરી લો આ કામ, દવા વિના મળશે રાહત

ડેન્ગ્યુના દર્દીએ ભુલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા

1. જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને તમે વારંવાર બીમાર પડી જાઓ છો તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણી પીવાનું શરૂ કરો. આપવાની પીવાથી શરીરમાં શક્તિ આવે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે જેના કારણે વાયરલ બીમારીઓથી બચાવ થાય છે.

2. જો તમારું વજન વધારે છે અને તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને એ પાણી પીવાનું રાખો તેનાથી વજન પણ ઝડપથી ઘટે છે. તેમાં કેલેરી ઓછી હોય છે અને ફાઇબર વધારે જેના કારણે બોડીમાં ફેટ બનતું નથી.

3. લીમડાના પાન ઉકાળેલું પાણી સવારે પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે તેનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ સારી રહે છે. આ પાણી હાર્ટને પણ હેલ્ધી રાખે છે. 

4. લીમડાના પાનમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે તેથી તેનું સેવન સવારે કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેના કારણે તમે ઓવર એટીંગ કરતા અટકો છો. પરિણામે બ્લડ સુગર લેવલ, કોલેસ્ટ્રોલ અને વજન બધું જ કંટ્રોલમાં રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે