Home> Health
Advertisement
Prev
Next

Cross Leg Sitting: પગ પર પગ ચઢાવીને બેસવાથી વધે છે બીમારીઓ, મહિલાઓએ તો તુરંત છોડી દેવી આ આદત

Cross Leg Sitting: ઘણા લોકોને પગ પર પગ ચઢાવીને બેસવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ? ડોક્ટરોનું કહેવું છે કે પગ પર પગ ચઢાવીને બેસવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

Cross Leg Sitting: પગ પર પગ ચઢાવીને બેસવાથી વધે છે બીમારીઓ, મહિલાઓએ તો તુરંત છોડી દેવી આ આદત

Cross Leg Sitting: ઘણા લોકોને પગ પર પગ ચઢાવીને બેસવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ? ડોક્ટરોનું કહેવું છે કે પગ પર પગ ચઢાવીને બેસવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ખાસ તો વેરિકોઝ વેંસથી લઈ ગર્ભવતી મહિલાઓને સમસ્યા વધારે થાય છે. એટલું જ નહીં ક્રોસ લેગ સીટીંગથી હાઈ બ્લડ પ્રેશરનું પણ જોખમ રહે છે. 

પગ પર પગ ચઢાવીને બેસવાથી થતા નુકસાન

આ પણ વાંચો: આ 5 લક્ષણો જણાવે છે મગજ થઈ ગયું છે ટોક્સિક, આ રીતે મગજને કરો ડિટોક્સ

પગને ક્રોસ કરીને બેસવાથી રક્તપ્રવાહમાં બાધા ઉત્પન્ન થાય છે. તેનાથી વેરિકોઝ વેનનું જોખમ વધે છે. આ પોશ્ચર ગર્ભવતી મહિલાઓ માટે વધારે હાનિકારક છે. તેનાથી ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી રક્તપ્રવાહ ધીમો થઈ જાય છે. તેના કારણે પગમાં દુખાવો, સોજો અને થાક રહે છે. 

આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓમાં ક્રોસ લેગ પોઝીશનથી ભ્રુણની સ્થિતિ પર પણ નકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી પ્રસવમાં જટીલતા ઉત્પન્ન થઈ શકે છે. 

આ પણ વાંચો: દિવસમાં 2 થી વધુ કેરી ખાતા લોકો ચેતી જાય, એક સાથે વધારે કેરી ખાવાથી થશે આ તકલીફ

હાઈ બ્લડ પ્રેશર

રિસર્ચ અનુસાર ક્રોસ લેગ કરીને બેસવાથી બ્લડ પ્રેશર 8 ટકા સુધી વધી શકે છે. તેનાથી ધમનીઓ પર દબાણ વધે છે. જેમાં હૃદયને વધારે મહેનત કરવી પડે છે. જે લોકોને પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમણે આ પોશ્ચરમાં બેસવાનું ટાળવું જોઈએ. 

કમરનો દુખાવો

ક્રોસ લેગ પોશ્ચરમાં બેસવાથી કમરનો દુખાવો રહે છે અને સ્નાયૂમાં પણ દુખાવો વધી જાય છે. તેના કારણે ગરદન અને ખભામાં પણ દુખાવો વધે છે. 

આ પણ વાંચો: ઓવેરિયન કેન્સર અને વજાઇનલ ડિસ્ચાર્જ વચ્ચે સંબંધ છે? આ લક્ષણો પ્રત્યે ન રહો બેદરકાર

સાઈડ ઈફેક્ટથી બચવા શું કરવું ?

જ્યારે પણ તમે બેસો ત્યારે પીઠને સીધી રાખીને બેસો. પગને જમીન પર સપાટ રાખો. જો કલાકો સુધી બેસીને કામ કરવું પડતું હોય તો દર 30 મિનિટે પોતાની સ્થિતિ બદલો. આ ઉપરાંત નિયમિત વ્યાયામ કરો. તેનાથી સ્નાયૂ મજબૂત બનશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More