Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગરમાં યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત, આત્મહત્યા પાછળનું આ કારણ આવ્યું સામે

જામનગર શહેરમાં આર્થિક સ્થિતિ ખરાબ થતા યુવાને આપધાત કર્યો છે. આ ઘટના શહેરના ખોજા નાકા પાછળ આવેલા ટીટોડીવાડી વિસ્તારની છે. કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન યુવાનની આર્થિક પરિસ્થિતિ નબળી બની હતી

જામનગરમાં યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત, આત્મહત્યા પાછળનું આ કારણ આવ્યું સામે

મુસ્તાક દલ, જામનગર: રાજ્યમાં કોરોનાના કારણે ધંધા રોજગાર તેમજ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે નોકરી ગુમાવતા અને ધંધા રોજગાર ઠપ થતા લોકોની આર્થિક પરિસ્થિતિ પર ભારે અસર પડી રહી છે. જેના કારણે રાજ્યમાં આર્થિક પરિસ્થિતિ નબળી થતા લોકો આપઘાત કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આવી જ એક ઘટના જામનગરમાં બની હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં આર્થિક પરિસ્થિતિ નબળી થતા યુવાને આપઘાત કર્યો છે.

આ પણ વાંચો:- સંતરામપુરમાં ખાનગી ટ્રાવેલ્સને નડ્યો અકસ્માત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેરમાં આર્થિક સ્થિતિ ખરાબ થતા યુવાને આપધાત કર્યો છે. આ ઘટના શહેરના ખોજા નાકા પાછળ આવેલા ટીટોડીવાડી વિસ્તારની છે. કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન યુવાનની આર્થિક પરિસ્થિતિ નબળી બની હતી. જેથી આવકનો સ્ત્રોત ન હોવાથી દિવસેને દિવસે યુવાનની સ્થિતિ કફોડી બની હતી. જેના કારણે યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More