મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી સગીરાને યુવક દ્વારા અપહરણ કરીને તેના પર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી દેવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. સગીરાને પેટમાં દુખાવો થતા સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જો કે સગીરાના ગર્ભમાં રહેતા બાળકનું મોત થયું હતું. જ્યારે સારવાર દરમિયાન સગીરાનું પણ મોત નિપજતા ચકચાર મચી છે. સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સાહિલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
શું કેદી માણસ નથી? અધિકારીના અનોખા અભિગમથી જેલમાં રક્ષાબંધનની ઉજવણી, બહેનો ભાવુક થઇ
ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે રાઠોડે જણાવ્યું કે, સગીરા સાથે દુષ્કર્મ બાદ ગર્ભવતી બનાવી હતી. બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને એકબીજાને ઓળખતા હતા કે કેમ તે આરોપી સાહિલ અંગે તપાસ કરવાની બાકી છે. ગોમતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલી એક ચાલીમાં સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. સગીરાને એખ દિવસ અચાનક પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યાં ડોક્ટરે તેને તપાસ કરતા ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે.
કચ્છમાં એક જ દિવસમાં ધરતીકંપના 3 આંચકા, 2001 બાદ 2021 મા ફોલ્ટલાઇન ફરી સક્રિય થઇ?
સગીરા નવ મહિનાનો ગર્ભ હતો અને ડિલિવરી કરતા સમયે ગર્ભમાં જ બાળકીનું મોત થયું હતું. સારવાર દરમિયાન સગીરાનું પણ મોત થયું હતું. જો કે સગીરાએ સાહિલ નામના વ્યક્તિ થકી ગર્ભવતી બની હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સાહિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, અપહરણ અને પોક્સો સહિતની કલમો લગાવીને આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે