Home> Gujarat
Advertisement
Prev
Next

9 લોકોને જીવતા કચડી નાખનારા નબીરાઓના નવાબી શોખ! એક જોડી ચંપલ- ટી-શર્ટમાં નીકળી જશે મહિનાનો ખર્ચ!

ઝી 24 કલાક પર જુઓ જરા આ અબજોપતિ નબીરાઓની લાઈફસ્ટાઇલ...ગરીબો પોતાને પહેરવા માટે 70 રૂપિયાનાં ચપ્પલ ખરીદે છે પરંતુ આ નબીરાઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે તેમના પગમાં જે ચપ્પલ છે તે એક જોડી શૂઝની કિંમત અંદાજે સાડા ત્રણ હજાર રૂપિયા છે.

9 લોકોને જીવતા કચડી નાખનારા નબીરાઓના નવાબી શોખ! એક જોડી ચંપલ- ટી-શર્ટમાં નીકળી જશે મહિનાનો ખર્ચ!

Iskcon Bridge Accident: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. પરંતુ હાલ 9 લોકોને જીવતા કચડી નાખનારા નબીરાઓના નવાબી શોખ કેવા હતા તે જુઓ...અમદાવાદના આ અબજોપતિ નબીરાઓ 85 લાખ રૂપિયાની જેગુઆર લઈને રેસ લગાવવા નીકળ્યા હતા. જી હા...અબજોપતિ નબીરા તથ્ય સહિત વૈભવી કારમાં 3 યુવક અને 3 યુવતીઓ સવાર હતી અને રાત્રે 11 વાગ્યે આ નબીરાઓ રેસ લગાવવા નીકળ્યા હતા. 

શું 4 લાખમાં અમારો 20 વર્ષનો દીકરો પરત આવશે? આવતો હોય તો અમે સરકારને 8 લાખ આપીશું

ઝી 24 કલાક પર જુઓ જરા આ અબજોપતિ નબીરાઓની લાઈફસ્ટાઇલ...ગરીબો પોતાને પહેરવા માટે 70 રૂપિયાનાં ચપ્પલ ખરીદે છે પરંતુ આ નબીરાઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે તેમના પગમાં જે ચપ્પલ છે તે એક જોડી શૂઝની કિંમત અંદાજે સાડા ત્રણ હજાર રૂપિયા છે. જી હા...આ નબીરાઓ ઘરમાં પહેરવા માટેનાં ચપ્પલ પણ સાડા ત્રણ હજાર રૂપિયાનાં પહેરે છે. 

Iskon Accident: 9 જિંદગીઓ હણનાર અબજોપતિ નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6ની અટકાયત

આ અબજોપતિ નબીરાઓની સવાર રાત્રે 11 વાગ્યે પડે છે અને સવારે 6 વાગ્યે તેમની રાત પડે છે. તથ્ય સહિત તેની મહિલા મિત્રો અમદાવાદના કાફેમાં રાત્રે જઈને પછી એસજી હાઈવે પર રેસ લગાવવા નીકળ્યા હતા. જાણો કાયદા તોડવાનું લાઈસન્સ લઈને જન્મયા હોય તેમ બિદાસ્ત થઈને રેસ લગાવવા માટે 1-1 કરોડની મોંધી કાર લઈને નીકળે છે, એટલું જ નહીં, અબજોપતિ નબીરાઓ એક ટી-શર્ટની કિંમત 6500 રૂપિયા છે.

ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કાર અકસ્માત મુદ્દે મોટો ખુલાસો: 400 કરોડની ઠગાઇનું કનેક્શન

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. રાત્રે જેગુઆર કારમાં અબજોપતિ નબીરા તથ્ય સાથે તેની ત્રણ મહિલા મિત્રો પણ કારમાં સવાર હતી. હાલ આરોપી તથ્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્રણ યુવતીઓ અને બાકીના તેના મિત્રો રાત્રે જ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયા હતા તો અબજોપતિ નબીરા તથ્યને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ રાત્રે મોંઘી ગાડી લઈને આવ્યા અને અકસ્માત સ્થળેથી પોતાના કુપુત્ર લઈને ફરાર થઈ ગયા હતા જે બાદ તેમણે સિમ્સ હોસ્પિટલમાં પોતાના અબજોપતિ નબીરાને દાખલ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચનાથી પોલીસે સિમ્સ હોસ્પિટલમાં જ તેને નજરકેદ કર્યો છે.

ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું: આ જિલ્લામાં બે દિવસ શાળાઓ બંધ, કેશોદમાં 6 ઈંચ, જામનગરમા

જાણો શું છે સમગ્ર ઘટના?
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે.. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.

Petrol Price: આ પ્રકારે બચાવી શકો છો Petrol ના પૈસા, થોડી સાવધાની સુધારી દેશે બજેટ

ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વીબી દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.. તેમજ 184 ઓવર સ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવે છે.. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને તેમાં કોઈનું મોત નીપજતા કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More