Home> Gujarat
Advertisement
Prev
Next

લો બોલો, કેજરીવાલના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ ભાડે આપ્યો તો કોર્પોરેશનની ટીમ દબાણ તોડવા પહોંચી

Vadodara News : પાર્ટી પ્લોટના માલિક નવનીત પટેલે કે, આમ આદમી પાર્ટીને પ્લોટ ભાડે આપતાં કોર્પોરેશન તોડવા આવી છે. અગાઉ ભાજપને પણ પાર્ટી પ્લોટ મફતમાં ભાડે આપ્યા હતા

લો બોલો, કેજરીવાલના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ ભાડે આપ્યો તો કોર્પોરેશનની ટીમ દબાણ તોડવા પહોંચી

રવિ અગ્રવાલ/વડોદરા :અરવિંદ કેજરીવાલના વડોદરામાં કાર્યક્રમના મામલે હવે રાજકારણ ગરમાયું છે. જે પ્લોટમાં અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં દબાણ શાખાની ટીમ દબાણ તોડવા પહોંચી હતી. પાર્ટી પ્લોટની દિવાલ દબાણમાં આવતી હોવાથી દબાણ શાખા પહોંચી હતી. ત્યારે આપના કાર્યકર્તાઓએ દબાણ શાખાની ટીમનો વિરોધ કર્યો હતો. વડોદરામાં ગેરકાયદે દબાણ તોડવા મામલે રાજકીય ડ્રામા જોવા મળ્યો. પ્રિત પાર્ટી પ્લોટના દબાણ તોડવા મામલે AAP એ વિરોધ દર્શાવ્યો. દબાણ તોડવા આવેલા JCBની આગળ AAP નેતા સુઈ ગયા હતા. AAP ના વિરોધ બાદ પાલિકાની ટીમ પરત ફરી હતી. પરંતું થોડા સમય બાદ પાલિકાની ટીમ ફરી દબાણ તોડવા પહોંચી હતી. 

આપના નેતા જેસીબી સામે સૂઈ ગયા
આજે સવારે સાવલી સમા રોડ પર આવેલ પ્રિત પાર્ટી પ્લોટમાં પાલિકાની ટીમ ગેરકાયદે દબાણ તોડવા માટે પહોંચી હતી. આ અંગે TDO જીતેશ ત્રિવેદીએ કહ્યું કે, પ્રિત પાર્ટી પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. પાર્કિંગની જગ્યા પર પાર્ટી પ્લોટમાં લોન બનાવાયું. પાર્ટી પ્લોટમા ગેરકાયદેસર રસોડું બનાવ્યુ હોવાનું TDOએ જણાવ્યું. જોકે, બીજી તરફ હકીકત એ પણ હતી કે, કેજરીવાલના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ આપનાર પાર્ટી પ્લોટ પર કોર્પોરેશનની દબાણ ટીમ પહોંચી હતી. પાર્ટી પ્લોટનું ગેરકાયદેસર દબાણ જણાવીને તેને તોડવા દબાણ શાખાની ટીમ પહોંચી હતી. સમા સાવલી રોડ પર આવેલ પ્રીત પાર્ટી પ્લોટનું ગેરકાયદેસર દબાણ તોડવા પાલિકાની ટીમ આવી હતી, ત્યારે જેસીબી મશીન લઈને આવતાં આમ આદમી પાર્ટીના નેતા જેસીબી સામે સૂઈ ગયા હતા. 

તો આ ઘટના પર આપના નેતા ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રીયા આપી હતી. તેમણે ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટી પ્લોટ તોડવા ભાજપના નેતાઓએ ફોજ મોકલી છે. ભાજપની અંદર ભયંકર ડરનો માહોલ ફેલાયલો છે. ભાજપના આદેશથી મનપાની ટીમ બુલડોઝર લઈને પહોંચી હતી. ભાજપનું અભિમાન જનતા તોડી નાખશે. 

ભાજપ બદલાની રાજનીતિ કરે છે 
પાર્ટી પ્લોટના બાંધકામને દૂર કરવા મામલે AAP નેતાએ ભાજપ પર પ્રહાર કર્યા. AAP નેતા સેજલ વ્યાસે કહ્યું કે, કેજરીવાલને પ્લોટ ભાડે આપવામાં આવતા પાલિકાની ટીમ દબાણ તોડવા માટે પહોંચી હતી. ભાજપ બદલાની રાજનીતિ કરી રહી છે. પરંતું આમ આદમી પાર્ટી પ્રીત પાર્ટી પ્લોટ નહિ તોડવા દઈએ. તો બીજી તરફ માલિકે ભાજપને પણ નિઃશુલ્ક પાર્ટી પ્લોટ અપાયાનો દાવો કર્યો છે. પાર્ટી પ્લોટના માલિક નવનીત પટેલે આ અંગે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને પ્લોટ ભાડે આપતાં કોર્પોરેશન તોડવા આવી છે. અગાઉ ભાજપને પણ પાર્ટી પ્લોટ મફતમાં ભાડે આપ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, પ્રીત પાર્ટી પ્લોટમાં કેજરીવાલે વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. 13 બુકીંગ કેન્સલ થયા બાદ પ્રીત પાર્ટી પ્લોટના માલિકે પ્લોટ ભાડે આપ્યો હતો. સમા સાવલી રોડ પર પ્રીત પાર્ટી પ્લોટ આવેલો છે. આપનો આક્ષેપ છે કે, કેજરીવાલના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ ભાડે અપાતા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યક્રમો માટે હોલ ભાડે આપનારા લોકોને ડરાવવા ધમકાવવા આવી રહ્યા છે તેવા આરોપ અનેકવાર આપ કરી ચૂક્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More