હીતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે 'ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક' બહુમતિ સાથે ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે. વિધેયકમાં સજા અને દંડમાં વધારો કરાયો છે. નવા સુધારા મુજબ હવે ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે અને રૂ.10 હજારથી રૂ. 2 લાખ સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. સિંચાઈ અને પાણી નિકાલ સંબંધિત વિવિધ અપરાધો માટે જુદા-જુદા દંડ-સજાની જોગવાઈ કરવામાં આવે છે.
વિધેયકમાં કરવામાં આવેલી નવી જોગવાઈઓ
દીપેશ અભિષેક હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, આસારામ આશ્રમ જવાબદાર
ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક અંગે સૌરભ પટેલે જણાવ્યું કે, "ભાજપ સરકાર ઘણા છેલ્લા વર્ષોથી ખેડૂતોને પાણી મળે તે માટે ચિંતા કરે છે. સુજલામ સુફલામ, નર્મદા સહિત અનેક યોજનાઓથી પાણી પહોંચાડ્યું છે. જેના માટે રાજ્ય સરકારે રૂ. 1.5 થી 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે. ખેડૂતોને સીધો લાભ મળ્યો અને ઉત્પાદન વધ્યું છે."
સૌરભ પટેલે વધુમાં જણાવ્યું કે, "આ બિલ જે ખૂબ ઓછા લોકો કે જે પાણી ચોરી કરે છે તેમના પર નિયંત્રણ લાવશે. માથાભારે લોકો ખેડૂતો સુધી પાણી પહોંચાડવા દેતા નથી. કાયદામાં સજાની જોગવાઈ વધારી છે. નાના ગુનામાં નાની સજા અને મોટા ગુનામાં મોટી સજાની જોગવાઈ કરી છે. આ કાયદો ઉધોગગૃહો, ખેડૂતો કે રાજકીય પક્ષના નેતાઓ પર પણ આ કાયદો લાગુ પડશે."
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે