કેતન જોશી/અમદાવાદ :રાજ્યભરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તમામ જિલ્લામાં મેઘરાજાએ શરૂઆતમાં ખૂબ જ હેત વરસાવ્યું હતું. ખેડૂતોએ મગફળી, કપાસ તેમજ અન્ય પાકની વાવણી કરી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. હાલ ખેડૂતો આકાશ તરફ નજર માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ, વરસાદ ખેંચતા તેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર જોવા મળી છે. ચોમાસામાં સામાન્ય રીતે તુરિયા, ટામેટા,ગુવાર, ભીંડો જેવા શાકભાજી સસ્તા હોય છે, પરંતુ વરસાદ ખેંચતા પરિસ્થિતિ વણસી ગઈ છે. જે શાકભાજી પ્રતિ કિલો 30 થી ૪૦ રૂપિયા હોય છે તે વધીને ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. હજુ પણ વરસાદ નહિ આવે તો લોકોએ મને કમને મોંઘા ભાવના શાકભાજી ખાવા પડશે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર થઈ રહી છે.
હાલ બજારમાં શાકભાજીના છૂટક ભાવ પ્રતિ કિલો આ પ્રમાણે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની વિધીવત શરૂઆત થઈ હોવા છતાં પણ વરસાદ નથી પડ્યો. વાયુ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો હતો. પરંતુ તેના બાદ ગુજરાતમા વરસાદ નહિવત છે. ગુજરાતના અનેક જિલ્લાઓ કોરાકટ છે. ખેડૂતોની સાથે લોકો પણ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યાં છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે